બદનામ નથી – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

બદનામ નથી

એ પ્રેમની ઇજ્જત કોડી છે, જે પ્રેમ જર્ગ બદનામ નથી,
ઊઠ ચાલ, દીવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા-ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દિષ્ટને !
મૃગજળથી તમન્ના પાણીની ૐ જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર ‘શૂન્ય’ જ છું,
એ નામ અબાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

‘શૂન્ય’ પાલનપૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *