કોણ પછી – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ મારી ગઝલો છે કે નહીં એની પરખ કરશે કોણ પછી ?
આપણી વચ્ચે સૌ ગુફ્તેગુ તો જાહેર કરશે કોણ પછી ?

મને અળગો રાખીને ન પૂછ્યા કર કે આ જુદાઈ કેમ છે ?
મિલનની મસ્તીની કદર આપણા જેટલી કોણ કરશે કોણ પછી ?

ગમે છે સૌ દર્દ દુઃખ જેટલાં જ મને, એનુંય કારણ છે ,
માવજત દુઃખોની મારા જેવી મારા વિના કરશે કોણ પછી ?

‘ભગ્ન’ જીવનનો ભરોસો પણ રહ્યો નહીં તો શું થઈ ગયું ?
ન હોત જો મોટ તો ખુદાનો ભરોસો કહે, કરશે કોણ પછી ?

– જયશ્રી મર્ચન્ટ

2 replies on “કોણ પછી – જયશ્રી મર્ચન્ટ”

  1. બહુજ સરસ ગીત સુંદર રચના સંગીત
    Karnpriya

    અભિનંદન ♥️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *