ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
- નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર - ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે -

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર -

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે -

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.



માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

એક વર્ષ પહેલા : મારા ભોળા દિલનો… - રમેશ ગુપ્તા

બે વર્ષ પહેલા : રંગ છે - હરીન્દ્ર દવે, H कर ना सके हम प्यार का सौदा...

23 comments to આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

  1. sandip
    November 7th, 2008 at 6:36 am

    આદિલ સાહેબ્ તમે અને તમારિ ગઝલો અમર રહ્શે.

  2. Vijay Bhatt
    November 7th, 2008 at 6:44 am

    સલામ આદેીલ સાહેબ!!!

  3. Jayesh Panchal
    November 7th, 2008 at 6:50 am

    Dear Jayeshree,

    Our Gujarati Language is also being poor and poor since last three to five years.
    As 3 M ( Manoj Khanderia, Manhar Modi and Mukund) in one year, than Ramesh Parekh and now Adil Saheb.

    I still remember the days I have passed with him and Chinu Modi, Rajendra Shukla, Labhsankar Bhai,Manhar Modi at Painter and Artist Narendra Patel’s office.
    It was vrey rich gathering as some times Bhagat Saheb and Dinesh Dalal , painter ahendra Kadia and other artist friends.
    So many time it was my pleasur, that Adil Saheb would love to ride on my bike, whenever he Visited Ahmedabad.
    I also learn to understand Gazal and it’s spacialities through him.
    It’s great lost to our luange, but we have to accept it.

    My umble prayer to the God to keep him in peace.

    Nadi Ni Ret ma Ramtu Nagar Male Na Male………

    Salam Adil Saheb

    Jayesh Panchal
    ( Sydney)

  4. Dr.Jagdip Nanavati
    November 7th, 2008 at 7:34 am

    ગઝલના ધબકાર….

    ગઝલનું જન્નત…..

    એવા શ્રી આદિલ મન્સુરીને

    લાખ લાખ સલામ…….

    ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા

    થયો પુરવાર ના-કાબિલ ખુદા

    ભલે શાયર કર્યો જન્નત નશીં

    હવે દોખજ અમારાં દિલ ખુદા

    ડો. જગદીપ નાણાવટી

  5. Jay Trivedi
    November 7th, 2008 at 10:39 am

    ગઝલ ના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.
    ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે.
    એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!

    જય ત્રિવેદી અને પરિવાર

  6. hirabhai
    November 7th, 2008 at 12:02 pm

    ભગવાન ઍમ ના આત્માને શાન્તિ આપે.

  7. લયસ્તરો » ગુજરાતી ગઝલના મોભ આદિલ મન્સૂરીનું નિધન
    November 7th, 2008 at 7:00 pm

    [...] ‘ટહુકા’ની અંજલી [...]

  8. mukesh parikh
    November 7th, 2008 at 7:13 pm

    આદિલ સાહેબ ને હાર્દિક શ્રધ્ધાંજલિ…
    આદિલજી તમો હંમેશા તમારી ગઝલો દ્વારા સૌના દિલો માં જીવતા રહેશો.

    ‘મુકેશ’

  9. pragnaju
    November 7th, 2008 at 7:32 pm

    તમે જગને અલવીદા કહી પણ અમારા હ્રુદયમા તો તમારુ સ્થાન અમર છે જ.આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અને સત સત સ લા મ
    મૃત્યુનું અમૃત મળે ના ત્યાં સુધી—આદરણીય આદિલ મન્સૂરીને શ્રધ્ધાંજલી niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  10. Adil (Farid) Mansuri, Gujarati Ghazal writer passes away at City Of Rajkot
    November 7th, 2008 at 8:59 pm

    [...] Via [adilmansuri and tahuko.com] [...]

  11. Niraj VYas
    November 8th, 2008 at 9:13 am

    મન મા વસી ગયો તુ ‘આદિલ’
    યાદો પર રાજ કરે તુ ‘આદિલ’
    અમર ને અખૂટ રહે તુ ‘આદિલ’
    આ દિલ મા સદા વસે તુ ‘આદિલ’

    —-’નિર’

  12. Birju
    November 8th, 2008 at 4:53 pm

    Manav na thay shakyo to a ishwar bani gayo….
    Adil saheb to manav to hata j …. ane have Gujarati Ghazal na ishwar bani gaya..

    Alvida….. Adil saheb……

  13. heta
    November 8th, 2008 at 6:43 pm

    આદિલ સાહેબ ને ખૂબ ખૂબ વંદન…..

  14. વિવેક ટેલર
    November 8th, 2008 at 7:37 pm

  15. vyas
    November 9th, 2008 at 8:56 am

    શ્રી આદિલભાઈને હૃદયભીની શ્રદ્ધાંજલી… એમની હાજરી એમની ક્રુતિઓ આપશે……..

  16. Harry
    November 9th, 2008 at 6:37 pm

    આદિલભાઈ ને મારી શ્રધ્ધાપૂર્વકની શ્રધ્ધાંજલિ …
    એમની ગઝલો અને એમનું નામ ગુજરાતી સાહિત્યમાં યુગો યુગો સુધી અમર રહેશે.

    પ્રેમથી અર્પુ છું અંજલિ કે, હવે આદિલ મળે ન મળે…
    ગુજરાતી સાહિત્ય સરિતાને એવા સાહિલ મળે ન મળે…

    રમતું નગર, પ્રણયની શરુઆત, પગલાં ને ઝાકળ,
    ને ખુશ્બુથી પાલવ ભરનાર, કાબિલ મળે ન મળે.

  17. Dr.Hitesh
    November 9th, 2008 at 8:52 pm

    શ્રી આદિલ મન્સુરી જેવા સર્જનહારના જવાથી ગુજરાતી સાહિત્ય અને ગઝલો નોંધારી થઈ ગઈ છે.આદિલજીને શ્રદ્ધાંજલિ

    અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    આદિલ મન્સૂરી

    મનના વિશ્વાસ અને સુલભગુર્જરીના દ્વારે આવતા રહેજો..
    ડો.હિતેશના પ્રણામ..

  18. chetan shukla
    November 10th, 2008 at 2:47 pm

    શ્રી આદિલ મન્સુરિ સાહેબ જેવા શાયર ના જવાથી ગુજરાતી ગઝલ નો એક યુગ પુરો થયો છે. તેમની આ ખોટ ગુજરાત ના સાહિત્ય જગ ને હમેશા રહેશે.

    તેમને હાર્દીક શ્રદ્ધાન્જલિ.

    ચેતન શુકલ, મસ્કત.

  19. Aditya
    November 13th, 2008 at 10:38 pm

    Muslim poets are of course sometimes good contribution to cultural diversity to Gujarati literature. In fact there are quite a few poets in Gujarat serving Gazals- only remnant of imported Islamic literature.

  20. Surta Mehta
    November 14th, 2008 at 10:39 am

    Adilsaheb was a Gujarati and Urdu poet, not a Muslim poet. His gazal “nadini retma” is the greatest tribute ever given to Ahmedabad. I hope a memorial will be created in his memory in Ahmedabad.

  21. Surta Mehta
    November 14th, 2008 at 10:40 am

    Adilsaheb was a Gujarati and Urdu poet, not a Muslim poet. His gazal “nadini retma” is the greatest tribute ever given to Ahmedabad. I hope a memorial will be created in his memory in Ahmedabad.

  22. Bharat Bhatt
    November 19th, 2008 at 8:45 am

    આદરણીય આદિલસાહેબને અલવીદા.

    ગુજરાતી ગઝલના ગાલીબસમા, વતનપ્રેમી અને અતિસંવેદનશીલ કવિ શ્રી આદિલ મન્સુરી અલ્લાહને પ્યારા થઇ
    ગયા. ગઝલની ગલીઓમાં ઘૂમતા આદિલ હવે મળે ન મળે પણ
    એમની કૃતીઓ સદાય આંખો ભીંજવતી રહેશે અને કાનોમાં ગૂંજતી રહેશે.

    એમને લાખો સલામ અને ખુદા હાફીઝ્.

    —ભરત ભટ્ટ , સીડની, ઑસ્ટ્રેલીયા

  23. Jignesh
    November 7th, 2009 at 6:05 pm

    માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
    જે કંઇ બની ગયો બરાબર બની ગયો

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>