કાવ્યાસ્વાદ ૮ : વૈષ્ણવજન તો તેને કહીએ – નરસિંહ મહેતા

સ્વર – લતા મંગેશકર

આસ્વાદ – મધુસુદન કાપડિયા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

– નરસિંહ મહેતા

2 replies on “કાવ્યાસ્વાદ ૮ : વૈષ્ણવજન તો તેને કહીએ – નરસિંહ મહેતા”

Leave a Reply to paresh Rabari Cancel reply

Your email address will not be published. Required fields are marked *