ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો – ભગવતી કુમાર શર્મા

કવિશ્રી ભગવતીકુમાર શર્માને એમના જન્મદિને વંદન સહ શ્રધ્ધાંજલી. 🙏🙏

ઘેઘૂર થઇ ગયો છે, વર્ષાનો શામિયાણો
આકાશને ધરા છે, મલ્હારનો ઘરાણો 

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યુ કિન્તુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિ ને લાગણીઓ, જકડાયેલો ઝૂરાપો
માણસ ઉપર પડે છે ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મ્હેં લોહીથી ભર્યા છે મારા બધા લખાણો

– ભગવતીકુમાર શર્મા

સ્વરકાર – આલાપ દેસાઈ (આલ્બમ – સૂર વર્ષા)
સ્વર – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *