મારા નીરે ભરેલાં હરિ -મુકુંદ પારાશર્ય

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સંગીત,સ્વર – ડો.પ્રભાતદેવ ભોજક

.

મારા નીરે ભરેલાં હરિ તરસ્યાં નયન

આષાઢ ઉન્મુખ ચાતક પર,
સદય થયું નહિ સઘન ગગન

વ્યર્થ ગયું ધન જનમ જનમનું,
વિફલ ગયાં મારા સકલ કરણ

સ્વીકારો હરિ મંદિરિયે લો ,
પગથે રવડે મારા સહુ અરચન

આશા છે અનુભવ દો કેવળ,
અશરણનું હરિ, આપ શરણ.

સદય બનો હરિ તરસ છિપાવો ,
દરશન દો મુને લો ને ચરણ
-મુકુંદ પારાશર્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *