તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

(આભાર – લયસ્તરો)

2 replies on “તો હું શું કરું? – આદિલ મન્સૂરી”

  1. આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
    કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું? …..
    – ક્યા બાત્!!!!!

  2. આદીલ ક્લાસિક્!! રે મઠના કવિ.. નવી ગઝલના પ્રણેતા!!!! વાહ અને વન્દન્!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *