સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવ

મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

Picture-DD

જેમના સ્વરાંકનો માટે ગુજરાતી સંગીત એમનુ ઋણી છે – એવા સુરીલા સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવને જરા વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ…

————————–

કલ્લોલીની હઝરત (દક્ષેશભાઇના સાળી અને લેખિકા) :

શ્રી દક્ષેશભાઇ ધ્રુવના શાળા જીવનના દિવસોનો મને આછો ખ્યાલ છે. સફેદ શર્ટ-સફેદ શોર્ટ, જે કદાચ મોર્ડન સ્કૂલનો યુનિફોર્મ હશે. એ દિવસોથી જ એમના અવાજમાં સુંવાળપ હતી. તે પછી તો શિક્ષણના અનેક સ્તરો પસાર કરી એક સફળ સોલિસિટર તરીકે તેઓએ ધ્રુ એન્ડ કંપનીનું નામ ઉજાળ્યું.

ગુજરાત રીસર્ચ સોસાયટીને તેઓએ લગભગ ૩૦ વર્ષ સુધી માનદ સોલિસિટર તરીકે સેવા આપી. અનેક સમસ્યાઓનો તેઓ કૂનેહથી ઉકેલ લાવતા. શાંત સ્વભાવ છતાં જરૂર પડે ત્યારે મક્કમતાથી માર્ગદર્શન આપતા હતા. જ્યારે તેમનો પુત્ર ભાઇ શ્રીરાજ સોલિસિટરની પરીક્ષામાં સૌ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે સફળ થયો, ત્યારે ખબર પડી કે દક્ષેશભાઇ પણ પ્રથમ નંબરે સફળ થયા હતા.

એમના સોલિસિટર તરીકેના અતિ વ્યસ્ત કામમાં પણ સંગીતનો શોખ મોખરે રહ્યો છે. સંગીત એમના માટે એક passion હતું, શાસ્ત્રીય સંગીતની તાલિમ દક્ષેશભાઇએ મોર્ડન સ્કૂલથી જ સ્વ. યશવંતભાઇ પુરોહિત પાસે લીધી – એમનું સદભાગ્ય કે યશવંતભાઇ મોર્ડન સ્કૂલના સંગીત શિક્ષક હતા. સુગમ સંગીત માટે સ્વ. નીનુભાઇ મઝુમદારનું માર્ગદર્શન મળ્યું.

દક્ષેશભાઇની સ્વરરચનાઓમાં શાસ્ત્રીય સંગીતની છાંય સાથે ખૂબ મીઠાશ હતી. સાહિત્યનો શોખ હોવાને કારણે ઘણા જાણીતા કવિઓની કાવ્યરચનાઓને શબ્દના અર્થને અનુરૂપ સ્વરબધ્ધ કરી. એમની અનેક સ્વરરચનાઓમાં ‘થાંભલીનો ટેકો’ તથા ‘બાઇજી તારો બેટડો મને ઘડી ઘડી પજવે છે’ એ મારા ખૂબ પ્રિય ગીતો છે. સ્વરરચના એક નદીના શાંત પ્રવાહની જેમ વહે છે. મારા માતાને તથા મને શ્રી દક્ષેશભાઇની સ્વરરચના અતિપ્રિય છે.

દક્ષેશભાઇની જ સ્વરરચનાઓનો કાર્યક્રમ ભારતીય વિદ્યાભવનના અંધેરી સ્થિત કલ્ચરલ સેન્ટરે ખૂબ સફળતાથી રજુ કર્યો હતો.

આજે દક્ષેશભાઇ આપણી વચ્ચે નથી, પણ હાર્મોનિયમ લઇને બેઠેલા એમની સ્વરરચનાઓ હંમેશ જીવંત રહેશે.

– કલ્લોલીની હઝરત

—————————————————————–

નીરા દેસાઇ (દક્ષેશભાઇના મોટાબેન) :

એક અંગત દ્રષ્ટિ – સ્વરકાર દક્ષેશ ધ્રુવની ભીતરમાં

બહેન મેઘનાએ ભાઇ દક્ષેશના સંગીતકાર – સ્વરકાર અંગે કંઇક લખાણ મોકલવા ઘણા સમયથી કહ્યું હતું, પરંતુ કોણ જાણે કેમ કલમ ઉપડતી જ ન હતી! ખેર, દક્ષેશ – જેને અમે બહેનો ‘બાબો’ કહેતા હતાં તે તો અમારા હ્રદયના ખૂણે ખૂણે વસી ગયો છે કે એને વિષે સંગીત ચાહક અને ગીતોને પોતાની બંદિશ દ્વારા પ્રાણ અર્પનાર રૂપે જ વાત કરવી ઊચિત રહેશે.થોડીક પૂર્વભૂમિકા બાંધી દઉં. દક્ષેશ મારાથી લગભગ દસ વર્ષ નાનો, મોટી બહેનનું અત્યંત માન જાળવે. કપરા સંજોગોમાં પોતે હાથ ઝાલે અને નાનપણનું વયનું અંતર ધીમે ધીમે ઓછું થતું ગયું અને સંગીતના ઉપભોક્તા રૂપે હું એની નજીક આવી અને એના સ્વરકાર તરીકેના પ્રયોગોને સમજવા મથતી થઇ.

દક્ષેશને નાનપણથી જ ગાવાનો શોખ હતો, કંઠમાં મીઠાશ હતી અને સમય જતા તાલિમ પામીને એ અવાજ ઘુંટાયો અને વધારે મધુર બન્યો. લાંબી માંદગી – વિશેષતઃ હ્રદયની અને શ્વાસની તકલીફ – ને પરિણામે ગાવાનું બંધ થયું, પરંતુ સ્વરનિયોજનમાં એ ઓતપ્રોત થવા માંડ્યો. બાળપણનું કુટુંબીજનોમાં જાણીતું એનું ગીત ‘પીપુડીવાળાનો પેલો તનમનીયો’ આજે પણ બધા સ્વજનો યાદ કરે છે. કુટુંબનું વાતાવરણ સંગીત ઉત્તેજક હતું, મારા પિતા ગાઇ શકતા નહીં, પરંતુ સાંભળવાનો અને બેઠકો યોજવાનો અત્યંત શોખ. માતાનો કંઠ મધુર અને ગરબા ગાવામાં તેમજ ગવડાવવામાં અગ્રેસર હતા. એવી પણ કંઇક માન્યતા છે કે દક્ષેશના કંઠની મુલાયમતા તેમજ શાસ્ત્રીય સંગીતની લગન અમારા સ્વર્ગસ્થ મામાનો હોઇ શકે. અમારા નાનાજીની અમદાવાદની અગાશીમાં એક રાત્રે, રજાઓમાં બધા ભેગાં થયા હતા, અને સંગીતની મહેફીલ ગોઠવાઇ હતી, ત્યારે ભાઇ દક્ષેશ અને માસીની દીકરીએ એવી જુગલબંધી કરી હતી કે કોઇ ત્રીજાને ગાવાનો અવકાશ જ મળ્યો નહીં.

શાસ્ત્રીય સંગીતમાં રસ કેળવવામાં અને પાયાનું ચણતર કરવામાં શ્રી યશવંતભાઇ પુરોહિતનો અનન્ય ફાળો છે. શાળાના અન્ય શિક્ષક કવિ પ્રહલાદ પારેખની ગેય કવિતાએ દક્ષેષના સંગીત નિયોજનમાં મધૂરતાનું સિંચન કર્યું છે. થોડો સમય શાસ્ત્રીય સંગીતકાર શ્રી ફિરોઝ દસ્તુર પાસે પણ તાલિમ લીધી હતી. આમ છતાં સંગીત નિયોજનમાં શ્રી નીનુ મઝુમદારની તાલિમ તથા પ્રભાવ વિશેષતઃ જોઇ શકાય છે. ખાસ કરીને સ્વરની મુલાયમતામાં. પાયાના ઘડતરમાં આ બધા મહાનુભાવોની તાલિમ બાદ, વડીલ દિલિપભાઇ ધોળકીયા, વિનાયક વોરા જેવાની છત્રછાયા મળતાં સંગીત ગુંથણી ઘડાતી ગઇ. અગ્રજ અને મિત્ર જેવા પુરૂષોત્તમ ઉપાધ્યાયનું સાનિધ્ય સંગીતમાં સુગંધ ઉમેરતું ગયું. આ ઉપરાંત આશિત દેસાઇ, સંગીતચાહક મનીષ શ્રીકાંત તેમજ બહોળા મિત્ર વર્તુળની ઉત્તેજક બેઠકો એના ગાયક તેમજ વિશેષતઃ બંદીશકારના પોતને ઊજાગર કરતાં ગયાં.

untitled1

(સુરેશ દલાલ, ક્ષેમુ દિવેટીયા, દક્ષેશ ધ્રુવ, પુરુષોત્તમ ઉપાધ્યાય)

સારા સંગીત નિયોજક માટે મારી દ્રષ્ટિએ અત્યંત મહત્વની અનિવાર્યતા તે યોગ્ય ગીતની પસંદગી છે. અને આને માટે વિશાળ વાંચન તેમજ અન્ય સર્જકોની કૃતિઓ અંગેની પરખ મહત્વનો ભાગ ભજવે છે.

અહીં દક્ષેશના જીવનમાં જેણે અગત્યનો ભાગ ભજવ્યો છે તે અમારી ભાભી અને એની પત્નિ ચેતનાનો ઉલ્લેખ જરૂરી છે. દક્ષેશની સંગીત સાધનાના પ્રત્યેક તબક્કામાં એ સહાનુભૂતિપૂર્વક રસ લેતી હતી અને એને પ્રોત્સાહિત કરતી હતી. દક્ષેષને વાંચનનો અત્યંત શોખ હતો. અન્ય વાંચન ઉપરાંત કવિતાના પુસ્તકો તેમજ સામાયિકોમાં કવિતાઓનું વાંચન એને અત્યંત આનંદ આપતું. મને યાદ છે કે એની છેલ્લી અમેરિકાની મુસાફરી કરતી વખતે અમે બંને ‘ઇમેજ’ની દુકાને ગયા હતાં, ડૉ. સુરેશ દલાલે કવિતાના પુસ્તકોનો ખજાનો એની સમક્ષ ખૂલ્લો મુક્યો અને કહે કે તારે જેટલાં પુસ્તકો જોઇએ તે લઇ જા! આ સાહિત્ય પ્રેમ એના સ્વરનિયોજનમાં પસંદિત ગીતોમાં શબ્દને મચડતા કે અર્થવિહીન પંક્તિઓ ધરાવતા કે પછી કાવ્યતત્વને ક્ષતિ પહોંચાડતા ભાગ્યેજ જણાશે. ઉદાહરણ તરીકે લઇએ તો માધવ રામાનુજનું ‘ગોકુળમાં કોકવાર આવો’, ભગવતીકુમાર શર્માનું ‘મારે રુદિયે બે મંજીરા’, રમેશ પારેખનું ‘તમે આવો તો વાત કહું શ્યામ’, વિનોદ જોષીનું ‘થાંભલીનો ટેકો’, હરીન્દ્ર દવેનું ‘કાનુડાને બાંધ્યો છે’, રમેશ પારેખનું ‘મીરાં કહે પ્રભુ અરજી લઇને’ કે સુરેશ દલાલનું ‘પગ ઘુંઘરું બાંધ મીરા નાચી’ – વગેરેના ઉલ્લેખ કરવા ગમે.

દક્ષેશના સ્વભાવની (સંગીત સંબંધિત) એક બહુ જ મહત્વની વિશિષ્ટતા હતી – તે કે એના સંગીત સર્જન ક્ષેત્રે અત્યંત self effacing હતો. સારું સંગીત સર્જન હોય, અન્યની બંદિશની મહેફિલ હોય તો એ ભરપૂર માણી શકતો અને પોતાની જાતને કે સંગીત નિયોજનને જરા પણ આક્રમક રીતે રજુ કરતો નહીં.

પરંતુ એ જ દક્ષેશ જ્યારે સંગીતનો વર્ગ લેતો હોય કે કોઇને વ્યક્તિગત તાલિમ આપતો હોય ત્યારે શિસ્તનો આગ્રહી અને રિયાઝમાં જરા પણ બેદરકારી સહી શકતો નહીં. – એ દ્રષ્ટિએ કડક શિક્ષક હતો. પણ સાથે સાથે યોગ્ય શાગિર્દને પોતાની બધી જ શક્તિનું દાન આપતો. અંગત રીતે વાત કરું તો પાછલી ઉંમરમાં મને સંગીત શીખવાની તીવ્ર ઇચ્છા હતી. દક્ષેશ મોટી બેનને ના પાડી શકે નહીં એટલે બનતા સુધી એ પ્રસંગ ટાળે. છેવટે લગભગ છેલ્લા ૬ મહિના ઉપર એણે મને તાલિમ આપવી શરૂ કરી. અને રિયાઝમાં જરા પણ ગરબડ કરું તો ધીરે રહીને કહે કે તમારે જરા ધ્યાન આપવું પડશે. દક્ષેષના વિદ્યાર્થીઓ એના આ શિસ્તના આગ્રહની ખૂબ પ્રશંસા કરે છે.

શાસ્ત્રીય સંગીતનો પાયો હોવાથી એના સ્વરનિયોજનમાં અનેક રાગો જેવા કે ભૈરવી, પીલુ, ખમાજ, બાગેશ્રી, ચંદ્રનંદન, અહીર ભૈરવ ની અસર જણાય છે. એનો પ્રિય રાગ – ભૈરવી. ‘વિરાટનો હિંડોળો’ એ ગાતા થાકતો નહીં. એક પ્રસંગ યાદ આવે છે. એક રાત્રે અમે બધાં કુટુંબીજનો બેઠાં હતાં. મારા પતિ અક્ષયભાઇ તેમજ નણંદ સુધાબેન પણ સંગીતના રસિયા.. દક્ષેશ કહે કે આજે હું તમને ભૈરવી સંભળાવું છું – અને એ છેલ્લી ગાઇ લઉં પછી તમે ઘરે જજો, પરંતુ એની ભૈરવી તો એક ન હતી, અનેક હતી. – વિવિધ ગીતો જે ભૈરવીમાં ગવાયા છે તેની હારમાળા અમારી સમક્ષ ખડી કરી, અમારાથી તો ઊઠાયું જ નહીં.

દક્ષેશના સ્વરનિયોજનમાં નાજુકાઇ છે, મૂલાયમતા છે, આક્રમકતાનો અભાવ આપણા હ્રદયને સ્પર્શે છે. ‘અમને પાગલને પાગલ્ કહી..’, કાનુડાને બાંધ્યો છે, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’, બાઇજી તારો બેટડો’, ‘આ તો બીજમાંથી ઊગ્યું’, ‘પાંચિકા રમતી’તી’, ‘પીડાના ટાંકણાની ભાત લઇ’ કે રમતિયાળ ‘સૈયર તારા કીયા છુંદણે’, ‘બાઇ હું તો કટકે ને કટકે’ વગેરે જેવા ઉદાહરણો યાદ આવે છે.

અમને કુટુંબીનજોને એમ લાગે છે કે એમા સંગીત નિયોજનમાં સ્થાયીભાવ કરુણાનો (pathos) છે. એ પોતે પણ એની નોટબુકમાં લખતો, ‘Our Sweetest Songs are those that felleth of our Saddest Thoughts’. આ વાદ્યને કરૂણગાન વિશેષ ભાવે. આથી ઝમકદાર ગીતોની ગુંથણી ઓછી જણાય છે. દા.ત. – ‘આકળ વિકળ’, ‘ફાગણની કાળઝાળ’, ‘અલ્લક મલ્લ્ક’. સંગીતનિયોજનની એની શરૂઆત પણ ‘ગલત ફેહમી’, ‘આપને તારા અંતરનો એક તાર’, ‘જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી’ એવા ગીતોથી થઇ હતી.

હું તો નાનપણથી જ એના સંગીતને માણતી આવી છું. સંગીત સાંભળવાની લગની, એમાંની સ્વરબંધારણામા કંઇ સૂઝે તો એનો ઉપયોગ કરવો, મિત્રો સાથે સંગીતની બેઠકો માણવી, અને એનો સાચો સ્વરપ્રેમ એને વાડાબંધીમાથી મુક્ત રાખ્યો હતો. શરમાળ પ્રકૃતિ અને નિજાનંદ માટેનું સંગીત નિયોજન, પછી એની ગણના થાય કે ન થાય, એની કોઇ મહેચ્છા નહી. પરિણામે ‘અજાતશત્રુ’ નું બિરૂદ પ્રાપ્ત કરી શક્યો. કોઇ પણ સાથે સ્પર્ધાત્મક વ્યવહાર રાખ્યા વિના ‘એકલો જાને રે’ જેવી મનોભાવના સેવી અને આચારી.

છેલ્લા લગભગ દસેક વર્ષથી તે વિવિધ માંદગીઓના વારાખેરામાંથી પસાર થઇ રહ્યો હતો એટલે ઘણીવાર નિરાશા – હતાશાની પકડમાં જકડાઇ એ અનિવાર્ય અનુભૂતિ છે. અને એનું સૂચન કુટુંબીજનોને એની સંગીત વિમૂખતામાં દ્રષ્ટિગોચર થતું. અંદર અંદર અમે એમ પણ વાત કરીએ કે બાબાની તબિયત ક્યારે સારી કહેવાય કે જ્યારે એને સંગીત સાંભળવાનો ઉત્સાહ આવે.

મને તો એ પણ યાદ આવે છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં એની રાતની ઊંઘ જતી રહી હતી, હું પણ ક્યારેક અનિદ્રાનો અનુભવ કરતી ત્યારે મધરાતે કેટલીયવાર હતાશામાં સાથે સંગીત સાંભળવાનો આનંદ માણ્યો છે.

સંગીતની લગની, તાલિમ માટેની તૈયારી અને આગ્રહ, સારું સંગીત સાંભળવા મળે ત્યાં દોડી જવું, પોતાનું સંગીત શાંત થઇ ગયું ત્યારે અન્યને સંગીતની દીક્ષા આપી, છેવટ સુધી નવા નવા અખતરા કરી એણે પોતે આનંદ મેળવ્યો છે અને બીજાઓને લૂટાંવ્યો છે. આવા નિરાભીમાની, કલાપ્રેમી, કલા ઉત્તેજક નાનાભાઇને મોટીબેનની ભાવ સભર અંજલી.

– નીરા દેસાઇ

—————————————————————–

અમર ભટ્ટ.

જેમને મળવાથી ને જેમના સ્પર્શમાત્રથી અનોખા સ્પંદનો અનુભવાય એવા શ્રી દક્ષેશ ધ્રુવ વિષે થોડી વાત કરતાં અત્યંત આનંદ અને રોમાંચ અનુભવું છું. તેઓ વ્યવસાયે Solicitor પણ જીવથી સંગીતકાર હતાં. અમે નાનાં હતાં ત્યારે દક્ષેશભાઇનાં મુંબઇથી અમદાવાદ આવવાની રાહ જોતાં, કારણ કે દક્ષેશભાઇ અમદાવાદ આવે ત્યારે પોતાની સાથે તેમનાં સ્વરનિયોજન લાવે અને અમને શીખવાડે. એટલું જ નહીં, પણ અન્ય ખૂબ જાણીતા સ્વરકારો જેવા કે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્રી આશિત દેસાઇ વગેરેનાં ગીતો પણ અમને વહેંચે. મને ગુજરાતી કવિતા અને સંગીતમાં રસ લેતો કરવામાં શ્રી દક્ષેશ ધ્રુવનો સિંહફાળો છે. મુંબઇમાં દક્ષેશભાઇનું ઘર એટલે સૌ સંગીતકારો – ગીતકારો માટેની પરબ. ત્યાં સંગીત-કવિતાની આપ-લે થાય. સૌ કોઇ દક્ષેશભાઇને ત્યાં આવી પોતપોતાની રચનાત્મક કૃતિઓ share કરે. અજાતશત્રુ દક્ષેશભાઇનો પ્રેમ, સ્નેહ સૌને એમના ભણી આકર્ષતો. મને કવિશ્રી હરિકૃષ્ણ પાઠકની આ પંક્તિઓ ખૂબ ગમે છે –

આ તો ઠીબનાં પાણી
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર
થીર ના કોઇ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ
થાક ભરેલાં પળનો પોરો પામતાં એ જ કમાણી
નેહ ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી
આ તો ઠીબનાં પાણી…

કૈંક આવું જ દક્ષેશભાઇને ઘેર પહોંચતા લાગતું – ‘નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી’.

આજે જ્યારે દક્ષેશભાઇને યાદ કરું છું ત્યારે યાદ આવે છે એમનું infectious – ચેપી સ્મિત. કવિશ્રી મુકેશ જોષી લખે છે તેમ – ‘દુશ્મનો હથિયાર હેઠાં મુકશે, મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો..”

untitled2

(દક્ષેશ ધ્રુવ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ)

યાદ આવે છે એમનાં મીઠાં, ગુજરાતીપણાથી ભરપૂર, કોમળગંધર પ્રધાન ગીતો. કેટકેટલાં અમર સ્વરનિયોજનો આપણને એમની પાસેથી મળ્યાં છે – ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન, હવે રાધાને મુખને બતાવશો’, ‘સૈયર તારા કિયા છુંદણે મોહ્યો તારો છેલ, કહેને… ‘, ‘કે મને પાણીની જેમ કોઇ સ્પર્શે’, ‘થાંભલીનો ટેકો’, ‘બાઇજી તારો બેટડો’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’. મને ગર્વ છે જે એમનાં બે સ્વરનિયોજનો થયાં તે વખતે હું પ્રત્યક્ષ હાજર હતો – ‘મારે રૂદિયે બે મંજીરા’ – જેને પછી ગુજરાતીનાં મૂર્ધન્ય કલાકાર શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનો અવાજ મળ્યો અને એ ગીત અમર બની ગયું – અને ‘પીડાનાં ટાંકણાંથી ભાત લઇ દરવાજે ઊભો છું’ – જે પ્રથમવાર ગાવાનું સદભાગ્ય મને સાંપડ્યું. આ બંને સ્વરરચનાનું મારી હાજરીમાં અવતરણ થયું.

જો કે દક્ષેશભાઇએ પોતાનાં ગીતો આગ્રહ કે aggressive પ્રયાસ ક્યારેય નથી કર્યો અને એટલે જ એમનાં ગીતોની CDનું શીર્ષક – ‘મૌનના ટહુકા’ યથાર્થ જ છે. દક્ષેશભાઇનાં પોતાના અવાજમાં ગીતો સાંભળવા એ પણ એક લ્હાવો હતો. દક્ષેશભાઇને અત્યંત નજીકથી જાણતો હોવાનો મને અત્યંત આનંદ છે. જો મારા જીવનમાં દક્ષેશભાઇ ન મળ્યાં હોત તો હું સંગીત-કવિતાને આટલી બધી માણી શક્યો હોત? શું હું પુરૂષોત્તમભાઇ, આશિતભાઇ જેવા કલાકારોને આટલી નિકટતાથી ઓળખી શક્યો હોત?

દક્ષેશભાઇ વ્યક્તિ તરીકે અને સંગીતકાર તરીકે મારા હ્રદયમાં કાયમ છે.

– અમર ભટ્ટ.

—————————————————————–

ગૌરાંગ દિવેટીયા : મૌનનો ટહુકો – સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવ

કોઇ સુગમ સંગીતનો સાચો ભાવક હોય – જેણે દક્ષેશ ધ્રુવને જોયા ન હોય પણ એમના સ્વરાંકનોથી પરિચિત હોય. પ્રથમવાર સ્વરકાર તરીકે એમની ઓળખાણ થાય પછી કોઇ સ્વરાંકન સાંભળો તો તરત કહી શકો કે આ સ્વરાંકન દક્ષેશ ધ્રુવ સિવાય બીજા કોઇનું હોઇ જ ન શકે. આમ સંગીત અને વ્યક્તિ એકબીજાના પર્યાય બની ગયા છે. એમણે સ્વરબધ્ધ કરેલા કેટલાક પ્રચલિત ગુજરાતી ગીતો છે જેની સફળતા અને લોકપ્રિયતાનો વ્યાપ લોકગીતો સુધી લગભગ પહોંચી ગયો છે. આવુ સદ્ ભાગ્ય બહુ ઓછા સંગીતકારોને મળે છે. ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન’, ‘થંભલીનો ટેકો ને ઓસરીની કોર’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’ વગેરે સ્વરાંકનોની પ્રથમ પંક્તિ ની રજુઆત થાય ને કાર્યક્રમને ચાર ચાંદ લાગી જાય !

સ્વીકારવું જોઇએ કે કેટલાક સુંદર અકસ્માતો એમના જીવનમાં સર્જાયા – સંસ્કારી નાગર કુટુંબમાં જન્મ, નાનપણથી જ સંગીત અને સાહિત્યનું વાતાવરણ અને એમાં પાંગરેલી રૂચિ, શાસ્ત્રિય ને સુગમ સંગીતના મુર્ધન્ય સંગીતકાર શિક્ષકોનું માર્ગદર્શન – ખ્યાતનામ કલાકારોનો ઘરોબો અને તેમનું પ્રોત્સાહન – આ બધા એમના વણમાંગ્યા વરદાનો કહી શકાય. શ્રી નીનુ મઝુમદાર, યશવંતરાવ પુરોહીત, વિનાયક વ્હોરા, પુરૂષોત્તમ ઉપાધ્યાય, ક્ષેમુ દિવેટીયા જેવા ધુરંધર સ્વરકારોના સતત સહવાસમાં રહેતા. આ બધી અનુકુળતાઓ એમના સ્વભાવની સાનુકુળતા સાથે સોનામાં સુગંધની જેમ ભળી ગઇ અને સોલીસીટર દક્ષેશ ધ્રુવ સ્વરકાર દક્ષેશ ધ્રુવ બન્યા અને ખ્યાતનામ સ્વરકારોમાં સ્થાન પામ્યા.

વ્યવસાયે વકીલાત પણ વ્યાસંગે સંગીત સંગીત અને સંગીત જ. પાછળના વર્ષોમાં તબિયત સાથ ન આપતા કાનુની વ્યવસાય પાર્ટ-ટાઇમ શોખ રહોય અને સંગીત એમની પૂર્ણકાળની પ્રવૃતિ બની રહી. એમની લાંબી નાદુરસ્ત તબિયતના સમયમાં સંગીત એ એમની સાચી દવા બની રહી. શરૂઆતના યુવાનીના વર્ષોમાં રેડિયો અને બીજા કાર્યક્રમોમાં પર્ફોર્મિંગ આર્ટીસ્ત તો હતા જ પણ વધુ એમનું પ્રદાન સ્વરકાર તરીકે રહ્યું. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક સંસ્થાઓમાં સક્રીય ભાગ ભજવ્યો. થોડા વર્ષો સુધી ‘સંગતિ’ સંસ્થા મારફત અનેક કલાકારો સાથે મળી સુંદર કાર્યક્રમો આપ્યા. એમાં સક્રીય જવાબદારી નિભાવી.

સુગમ સંગીત એ એમની આંતરિક જરૂરીયાત તો સુંદર સરળ સ્વરાંકનો એનો સ્વાભાવિક આવિષ્કાર હતો. એક રીતે એમના પ્રદાન કરતા વધુ ઉજળુ પાસુ હતુ – યુવાન કલાકારોને તૈયાર કરવાનું – પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનું – એમનું ઘર સંગીત કલાકારો માટે અને કવિ કલ્પનાનું ‘કશા કારણ વિના જઇ શકો’ એવું સુરીલું સ્થાન હતું. ઉગતા કલાકારોને આશ્રય મળતો – વરિષ્ટ કલાકારોને સાચા ભાવકનો અહેસાસ અને આશ્વાસન મળતા. નામી – અનામી અનેક કલાકારો માટે એમનો અજાતશત્રુ માફક સ્નેહસંબંધ એક હંમેશનું સુરીલું સંભારણુ બની ગયું છે. છેલ્લા થોડા વર્ષોમામ એમના અઠવાડિક સંગીતના વર્ગમાં અનેક કલાકારોએ માર્ગદર્શન મેળવ્યું. એ તો એમના ઋણી રહેશે જ. એમની ગેરહાજરી એમના વિદ્યાર્થી – કુટુંબીજનોને વધુ સાલશે.

untitled3

(આલાપ દેસાઇ, દક્ષેશ ધ્રુવ, ઐશ્વર્યા મજમુદાર, આશિત દેસાઇ)

એમના સ્વરાંકનોને એક જ વાક્યમાં મુલવવાના હોય તો સ્વ. શ્રી નરસિંહરાવ દીવેટીયાની જાણીતી ઉક્તિ -થોડા ફેરફાર સાથે યાદ કરવી પડે – ‘આ વ્યક્તિ’ને તો કરૂણગાન વિષેશ ભાવે.’ કોક ધ્રુવ પંક્તિ જેમ કરૂણભાવ એમના સ્વરાંકનોનો ધ્રુવભાવ હતો. પણ એમા રડમસ નહી પણ શાંત કારૂણ્ય ભાવ હતો. રડો નહિ પણ આંખ તો ભીની જરૂર થાય એવી એમના સ્વરાંકનોની અસર હતી. જે આજે પણ ભાવકો અનુભવે છે. આ સાથે સુરીલાપણુ એમનો સ્થાયી સ્વભાવ હતો. એ જ એમની સફળતાની પારાશીશી ગણાય. એમના સ્વરાંકનો સાંભળી મોટેથી ‘વાહ વાહ’ થાય એના કરતા અંદરથી ‘આહ’ની લાગણી જરૂર થાય. એમના સ્વરાંકનોમા સરળતા, કોમળતા અને પારદર્શકતા હતી.

સ્વરાંકનો માટેની કવિતાની પસંદગી એમની આગવી વિશેષતા હતી. કાવ્યની સ્વરગુંથણી પછી એ કાવ્ય જાણે એમને માટે જ કવિએ રચ્યું છે એવી લાગણી થાય. અતિશ્યોક્તિના જોખમે એવુ પણ કહેવાનું મન થાય કે એવું બીજુ સ્વરાંકન કદાચ આપણને ખુંચે. મોટા ગજાના સ્વરકારોના સ્વરાંકનો સાંભળી આવી લાગણી થતી હોય છે. કવિના શબ્દો પૂરેપૂરા આત્મસાત કરી એના ભાવને અનુરૂપ સ્વરનિયોજન કરવું એ એમની વિશિષ્ટ શૈલી હતી. એમનું સ્વરાંકન સાંભળ્યા પછી કદાચ કવિને પણ પોતાનું કાવ્ય વધુ ગમે એમ પણ બનતુ. એક એક શબ્દ સૂર થઇ રેલાય ને ભાવકો એમાં તરબોળ થાય એવુ અનેક કાર્યક્રમોમાં બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાના ભાવકો એમના સાક્ષી છે. એને એમના અનેક સ્વરાંકનો સુગમ સંગીતનો વારસો બની સુગમ સંગીતના ઇતિહાસનો એક ભાગ બની ગયા છે.

આ જાતના સ્વરાંકનો અત્યારે પણ સુજ્ઞ ભાવકો અને નિષ્ણાતોના રસનો વિષય બનવો જોઇએ એમ લાગે છે. દક્ષેશભાઇના સ્વરાંકનોના મૂળમાં ઘણુ બઘુ હશે પણ એનો પ્રધાન સૂર ઊંડી સંવેદના લાગે છે. ન સંભળાય એવો શાંત ચિત્કાર સાચા ભાવકોને જરૂર સ્પર્શશે. શરૂઆતના વર્ષની એમની તાલિમ – જેમની પાસે લીધી એમની શૈલી ને પછીના વર્ષોની સક્રિયતા ને જેમની સાથે કર્યુ એનો અભિગમ – આ બધાએ એમના સ્વરાંકનો પર ઘેરી અસર કરી હોય એમ લાગે છે. સૂર પ્રત્યેની પ્રતિબધ્ધતાને સર્જકનું સાચુકલુ વ્યક્તિત્વ આના ચાલક બળો હતા.

છેલ્લે એટલુ ઉમેરવુ જોઇએ – જેના વગર દક્ષેશભાઇ વિશે વાત પુરી થઇ જ ગણાય. એમને વિશે કાંઇ લખવુ કે બોલવુ એમની ગેરહાજરીમાં જ શક્ય બને. એમની હાજરીમાં કાંઇ કહેવાય એ એમને માટે અસહ્ય હતુ. પોતાના વિશે એમનો કંઇ બોલવાનો તો સવાલ જ ન્હોતો. એટલે એમણે બોલ્યા કરતા ગાયુ વધારે. એ જ એમની ભાષા હતી. અત્યારના મહોલમાં આ અસંભવ લાગે. (કદાચ અવ્યવહારૂપણામાં પણ ખપો ! ) પણ પ્રસિધ્દ્ધિથી દૂર ભાગવુ એ જ એમનો સ્વભાવ હતો. માણસો ખૂબ ગમતા પણ એકલતાને પણ વ્હાલ કરતા. છેલ્લા થોડા વર્ષોની નાદુરસ્ત તબિયતની મજબૂરતા તો હતી જ પન નમ્ર સ્વીકાર કર્યો એ પણ એટલુ જ સાચુ. જો કે એમનું એકાંત પણ ભરચક હતુ, કારણ કે સંગીતથી ભર્યુ ભર્યુ હતુ. ઝગમગતો રંગમંચ, અનેક વ્હક્તિઓનો ઘોંઘાટ, શ્રોતાઓની ભીડ – આ બધાથી અલિપ્ત રહીને એમના ખાટલા પર એમના હાર્મોનિયમ સાથે. નવા જૂના સ્વરાંકનો બે ચાર ભાવકો – અંગત મિત્રો – કુટુંબીજનોને સંભળાવવા એ જ એમની મહેફિલ હતી. અને એ જ એમના સંગીતનું પ્રયોજન હતું. એમના પરિચિતોને તો જરૂર લાગશે કે એમના વિશે આવુ કાંઇ લખાય કે વંચાય તેથી પન એ જ્યાં હશે ત્યાં થોડાક તો જરૂર સંકોચાશે.

આ શરમ અને સંકોચને સૂરીલી સલામ…. !!

– ગૌરાંગ દિવેટીયા

39 replies on “સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવ”

  1. આપણી વચ્ચે જે હાલ નથી, એવા માનનીય
    દક્ષેશભાઇને હાર્દિક શ્રદ્ધાઁજલિ; અને પરિચય આપ્યો છે, તે બદલ …આભાર.

  2. “મૌન ના ટહુકા” – ભાગ ૧ અને ભાગ ૨. આ બે સી.ડી. નુ આલ્બમ અમદાવાદ મા ક્રોસવર્ડ ની દુકાન મા મળે છે.

  3. i am very much intersted in the following song sung by shri dakshesh dhruv:
    mala japun din raat maa tujh naamni hun

    can anyone provide me link to this song or whether tahuko can place it on the website?
    thanks.
    alternatively, pl give me email add. of shri dakshesh. thanks

  4. Daxesh and I studied together for more than 10 years, although he was senior to me by 2-3 years. His sister, Vibhuti was in my class and he stayed just opposite my father’s office. Meeting him daily was a routine. Being in the same school, we had gone on many trips and scout camps together. He was our star singer. At that time, we did not know of his hidden talents as composer.

    Time, then drifted us apart. His professional career was an envy to many of us. When I had some family troubles, like a true friend, he guided me correctly and avoided costly and unnecessary litigations.

    Every one of us loved is his happy nature. So Daxesh, I salute you, my old friend, wherever you are.

    Mahesh

  5. થમ્ભ્લિ નો તેકો ને ઓશ્રિ નિ કોર કન્બિ નિ ચોક્રિ એ પલ્યો ચે મોર ખરેખર એક અદ્ભુત અને અન્ત્સ્થ ઉર્મિઓ ન્ે પ્રજ્વલિત કર્નરા કવિ ને સોસો સલ્લમ્!!!!!!!!!!!!!!

  6. દક્શેશભઈ માટે આટ્લુ વિગતવાર લ્ખાણ વાન્ચ્વાનુ પહેલેી વાર થયુ. સાથે સાથે એમના ઘરના, સમ્બન્ધેીયો ના અભપ્રાયો વાચ્યા. ખુબ સુન્દર. રાજ્શ્રેી ત્રિવેદેી

  7. ‘મૌનના ટહુકા’
    આ આલ્બમ્બ કેવિરિતે મલિ સકે?

  8. આપણી વચ્ચે જે હાલ નથી, એવા માનનીય
    શ્રેી દક્ષેશભાઇને હાર્દિક શ્રદ્ધાઁજલિ; અને જેંમણે
    એમનો પ્રિતી-પરિચય આપ્યો છે, તે સૌને ય
    મારાઁ સાદર નમન !શ્રેી.જયશ્રેીબહેને ખૂબ જ
    ઉપકારક કાર્ય કર્યુઁ છે,તે બદલ …આભાર !

  9. i am drawn to our pastin Modern school days .. Our principal saheb shree RAMANBHAI VAKIL.. very often use to teach Guj poems .. and narrate Narshirao Divetia famous ” Our sweetest songs are those that telleth our saddest thoughts.”..

    . Yes Bhai Daxesh was totally impregnated with this couplets, showed in his mood.

    Dear daxesh my hearty remembrances to our school days and hats off to your apoorv sidhhi and long lasting contribution tp the world of Guj composition in music

  10. very beautiful SWARANJALI to daxeshbhai.
    I am proud of my school, Modern School, from where we have got prominent artists like daxeshbhai, actor pravin Joshi, alongwith prominent doctors.
    Credit goes to our great teachers like, Smart Sir,Prahlad Parekh sir, Chhotubhai Bhatt Sir, till now, Neelamben Diwan…and many more. They have contributed a lot to our lives. Namaskar to all mu GURUJIS.

  11. શ્રિ દક્શેશ કાકા, મારા ખાસ મિત્ર શ્રિ ૌરવ ના કાકા થાય્એત્લે મારા પન કા કા થાય્ વદોદર મા મલ્વનુ થયુ ત્યરે એર્ત્લો આનન્દ થયો એમ્ને મોદિ રાત સુધિ ગેીતો સમ્ભ્લાવ્યા. મા રા માતે તો એ પ્રસન્ગ ભુલિ નથિ શક્તો. એમ ખાસ તો ગોકુલ મા કોક વાર તો હદ થયિ ગયિ.બન્ને ને મારા કોતિ કોતિ પ્રનામ અને હદય્પુર્વક નિ સ્વારાન્જલિ….બિહાગ્

  12. જયશ્રીબેન,
    ટહુકો સાંભળવાના રોજિંદા સવારના નિત્યક્રમ માં આજે દક્ષેશભાઈની ભાવાંજલિ વાંચી અને ગીતો સાંભલળ્યા. આ રીતે અન્ય સાહિત્યકારોના આપતા રહેશો.
    આપની પાસે સ્વ.શ્રી રામભાઈ બક્ષી વિશે માહિતિ હોય તો આપશો.
    ચન્દ્રકાંત લોઢવિયા.

  13. અદભુત અંજલી લેખો વાંચીને જાણ્યુંકે દક્ષેશભાઈ કેવા મોટા ગજાના સ્વરકાર હતા.મારે માધવ રામાનુજ નું,’સૈયેર તારા કિયા છુંદણે “ગીત જે દક્ષેશભાઈએ સ્વર બધ્ધ કરેલ તે સાંભળવું છે.જયશ્રીબેન HELP….

  14. From recent post I came to knew Daxeshbhai, a true composer reaches to empty corner of our heart.He was a real human and a musician. A unique composition – ‘bai hun to katke…’ – explains a genuine classical composer Sri Daxeshbhai.Nisha Upadhyaya sang this song superbly.This is a best tribute to Shri Daxeshbhai.

    Suresh Sheth

  15. a very hearfelt SWRANJALI TO LATE SHRI DAXSHAHBHAI , PL PUT ALL HIS COMPOSITION ON WEB INCLUDING IN HIS OWN VOICE.

    SUHASINI VAISHNAV

    AHMEDABAD

    9/09/09

  16. hello jayshree,

    what a wonderful job you are doing! After quite a few days I heard ‘Maun na tahuka’again and was lost in those very few precious memories that i have of res.Daksheshbhai. Thanks.

  17. congratulations jayshreeben , u r doing a great job. very few people wud do this kind of work ,only yesterday i happened to make friends wid your mom inlaw in a music class
    dipti barfiwala

  18. જયશ્રિ જુના , પ્રેમાળ , શાળા ના મિતૃ ને યાદ બહુજ સુન્દેર રિતે રજુ કર્યા … દિલ ઉભ્ર્રાયુ.. અભાર્

  19. I have known Daksheshbhai through my friend and through his lovely compositions.I had few rare opportunities to listen to him in private progs.Today when I listen to his compositions I am so much engrossed that I feel,I should have known him much much before.

  20. ક્ષમા શશાંક મહેતા, સાન્તાકૃઝ, મુંબઇ

    શ્રી દક્ષેશભાઇ સાથે અમારા જ ઘરમાં થયેલી બેઠકોની યાદ હજુ તાજી છે. એમના ગીતોને વાગોળીયા કરીયે છીએ.

    તેમના થકી જ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના પ્રોગ્રામનો લાભ મળ્યો. તેમનુ ઋણ ભુલાય તેમ નથી.

    Thanks તો ટહુકો ને પણ…  સરસ અંજલી આપી.

  21. AS I am writing this, Daksheshmasa’s “pagal” is playing in the background, filling the atmosphere with his presence. It is an overwhelming experience to read such beautiful write ups about Daksheshmasa. It took me down the memory lane when, as children, we would listen to his melodious voice and compositions at Raikhad. He is without doubt, one of the best composers Gujarati music has ever had. It was through him that I got introduced to the Gujarati music. I still vividly remember listening to his” pag ghunghru bandh” at Ahmedabad, during his visit, which was, perhaps, his last visit. You are certainly with us, Daksheshmasa, through your music……. Congratulations to “Tahuko” for the wonderful work that you are doing….

  22. As they say, music gives you the direct connection with God. But having said that, I would like to say that it depends on the service provider, meaning by who and how the music is played. In this time of computerized and commercialized music, the music seems to be going farther and farther away from God. I truly believed Daksheshmasa was the person who provided that direct connection to God with his music. The truthfulness and purity in his music has always kept the divinity of music. Once you start listening to him or his compositions, soon you feel the emotions of the songs getting to you. The songs always touched the heart, the most important of all aspects of music. Thank you for the memories and music that will be cherished for lifetime.

  23. I am his daughter in law. I am not a gujarati and never had any interest in music until i heard papa’s songs. i know that i dont understand music. but papa’s songs taught me how beautiful music is and music can never have language barriers. but i must confess that apart from his songs i dont listen or enjoy any one else’s music. i think he is the nest composer and his songs were such that it touched every person’s heart. it could even make a non music lover like me listen and enjoy music. his music and songs reflects his nature..warmth and softness and soothing.
    we all miss him tremedously. Without his compositions gujarati sugam sangeet is incomplete !!!!
    Papa i really really miss you.

  24. સુરીલા સ્વરકાર સ્વ. દક્ષેશ ધ્રુવના સ્વરાંકનો માટે ગુજરાતી સંગીત એમનુ ઋણી છે—આખા લેખ-માહિતી-સૂરબધ્ધ મધુર ગીતો બદલ ધન્યવાદ્

  25. I have probably heard this album many times, but each time I hear it, I see another side to Dakshesh Mama. There is a reflection of his persona in his music: Pure, Simple, Classic and one that everyone loves . That’s my mama and so is his music. Thank you for putting up this site.

    • આ આલબમ ખુબજ સુંદર અને કરૃણતાથી છલકાયેલો છે. દોસ્‍ત આ આલબમ કયાથી મળી શકે એ જણાવી ઋણી કરશોજી. આમતો ઘણો સમય વિતેલ છે પણ શકય હોય તો જણાવશો. શ્રીમાન દક્ષેશ ધ્રૂવજીના આ જ આલબમ જોઇએ છે.

  26. ંંખુબજ સરસ રસપ્રદ લેખ જઆનવા મલ્યો શ્રિ દક્શેશ ધ્રુવ વિશે કોતિઇ કોતિઇ પ્રનઆમ્ આવા ધનઆધ્્ય સુગમ્સન્ગેીત્ના બેતઆજ બઆદશાહને. ે્્ ખુબજ સરસ તહુક્કોના માધ્યમ થિઇ સુગમ્સન્ગેીત જોદે નતો જલ્વૈરહેચેી. ક્રુતિકા્ ત્રેવેદેી

  27. જયશ્રી,
    ખુબ સુંદર. વાંચવાની-સાંભળવાની અનેરી અનુભૂતિ કરાવવા બદલ ધન્યવાદ. “ટહુકો” ને વર્ષગાંઠ મુબારક

  28. An apt tribute to a man who personified the word, “humility”. He was so immersed in his love for music and his heart was so pure that all he needed was his harmonium and a handkerchief (for those sudden sneezes). Very nicely put together for those of us who want to relive his memories at a click of a button.
    Dakshesh Dhru had a sweetness in his voice which can only come as a gift from The Almighty! Mithaash! Keep singing mamu jaan, I am sure we shall here you sometime…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *