Category Archives: સૂર-સંવાદ

મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં અને ઘરે-ઘરે ગુંજતી કરવામાં ‘મનહર ઉધાસ’નો કેટલો મોટો ફાળો છે, એ કોઇ ગુજરાતી ગઝલ-પ્રેમીને યાદ કરાવવાની જરા પણ જરૂર નથી..! થોડા વખત પહેલા એમનું 25મું Album ‘આભાર’ પ્રગટ થયું એ પ્રસંગે ઓસ્લિયાના ‘સૂર-સંવાદ’ રેડિયોના આરાધના ભટ્ટે એમની સાથે કરેલો વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.

(મનહર ઉધાસ વિષે થોડું વધુ અહીંથી જાણી શકશો)

અને એ સાથે આપ સૌને જાણતા આનંદ થાય એવા સમાચાર પણ છે… એમનું 26મું Album ‘અક્ષર’ તૈયાર છે, અને સારેગામા એને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં launch કરી રહ્યું છે. તો આપણે આ achievement માટે મનહરભાઇને હાર્દિક અભિનંદન આપીએ..!