તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોષી

8 replies on “તો તુ શું કરીશ ? – મુકેશ જોષી”

  1. શ્રી મુકેશ જોશીનુ ગીત-ગઝલ પઠન પણ માણવા જેવુ છે, આભાર…..

  2. આવા શબ્દો આપશો તો અમે શું કરશું ? વાહ વાહ !!

  3. ફક્ત…..વા…..હ

    મોત આઘે ઠેલવાનું છે સતત
    ક્યાં સુધી જીવશું એ જુઠ્ઠા આળ પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *