વૃંદાવન – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:

કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )

(આ એ જ હશે વૃંદાવન?    …………..       Photo: Webshots)

સ્વર – સંગીત : ??

.

આ એ જ હશે વૃંદાવન

એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?

આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?

પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?

રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;

પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!

– હરીન્દ્ર દવે

17 replies on “વૃંદાવન – હરીન્દ્ર દવે”

  1. રહેજો સદા હ્રિદયે સ્મરન તમારુ શ્રેી ક્રિશ્ન શ્રેી ક્રિસ્ન સ્મરન તમરુ

  2. આ એ જ હશે વૃંદાવન ? આ સવાલ તો બધાને જ થતો હશે

    પણ એને આમ ચિર સ્મરણીય બનાવે તે કવિ !

    અને ચિર શ્રવણીય બનાવે તે મન્ના ડે નો જ અવાજ !

    એને વિશ્વ ના વૃંદાવન માં એનો ટહુકો પડઘાયા કરે એનું શ્રેય જાય છે તમને, જયશ્રીબેન !

  3. Abhinandan Jayshree…

    Congrats to Harindra Davey.. Melodious voice bhaav sahit..

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  4. સાહેબ આ અવાજ મન્નાડે સાહેબ સિવાય બીજા
    કોઈનો ના હોય …..અદભુત..!!

  5. At last after a very long time I am fortunate to hear this GEET one of the likings of mine and really feel very happy, I must thank you and specially harindra Dave .
    Jay Shri krishna to one and all listners of Tahuko like Me.

  6. ખુબ સુંદર ક્રિષ્ન ગીત. ક્રિષ્નના નામ સાથેજ જો રાધાનુ નામ ન આવે તો સઘળુ વ્યર્થ…

  7. હરિન્દ્ર દવે એ ખુબ જ સરસ રિતે આ ગિત મા રસભરિયો.

  8. બહુ જ સરસ કૃષ્ણગીત. કૃષ્ણ અને રાધાને આપણી સંસ્કૃતિએ આત્મસાત કરી લીધા છે.

  9. પ્રભુને પગલે પગલે થઈ’તી
    આ જ ભૂમિ શું પાવન?

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ આવી રહી છે. ભારત સરકાર આ વર્ષ (૨૦૧૦)થી શરૂ કરીને ચાર વર્ષ સુધી મોટા પાયા પર ઉજવશે. સ્વામીજીએ ગુજરાત સહીત ભારતનાં અનેક રાજ્યોમાં યાત્રા કરી હતી. અને અન્ય દેશોનાં શહેરોમાં સ્વામીજીએ અમેરિકાનાં કેટલાંક શહેરોની યાત્રા કરેલી જેમાં શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, અને લોસ એન્જલ્સ પણ હતાં.

    હરીન્દ્ર દવેની ઉપરની પંક્તિઓ વાંચતાં આ પક્તિઓ સ્ફૂરીઃ

    સ્વામી પગલે પગલે થઈ’તી
    આ જ ભૂમિ શું પાવન
    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

Leave a Reply to jyoti pattani Cancel reply

Your email address will not be published. Required fields are marked *