એકલતા…… ? – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

14 replies on “એકલતા…… ? – માલા કાપડિયા”

  1. ખુબ સુન્દર રચના…
    bharibhid ma hu ekali chu…!!!

    thanks…MALABEN…DAREK VANCHAKA NE TENA HRADAYA NA TAR NE TAME SPARSH KARYO CHE…ANE SHABDO THI..VACHA API CHE..HAIYANI LAGANIO NU MULY KYAREY OCHU NA AANKAVU…!!!

  2. Bhutkal ma jena sahare jiviya hoie. jena khabha par mathu raki ne radia pan hoie tej sath ane tej khabho jiyare apan ne chhodi ne jata rahe 6 pa6i ni je eklta manas ne kori khai 6 tevu to Udhai (White ant) pan lakda ne kori khati nathi. jivan jivu pade 6 kem ke mot pan avtu nathi. ankho ne radvu pade 6 kem ke teni yado mathi bahar avatu nathi.

  3. ઘણું સુન્દર કાવ્ય છે. આવો સમય જિવન માં આવતો હોય છે. એકદમ સચોટ વર્ણન છે.

  4. કોઈ હૉતા મૅરા અપના પાસ નીહિ તૉ દૂર હી હૉતા……….કિશૉર કુમારના ગીતની યાદ આવી ગઈ

  5. જયશ્રીબેન,
    એકલતા…… ? – માલા કાપડિયા By Jayshree, on April 20th, 2010 in અછાંદસ , માલા કાપડિયાની એકલતાની ગુંગણામણ આટલા બધા પ્રિય વાચકો મળ્યા બાદ જરૂર ચાલી ગઈ હશે. એકલતાની મુંજવણ શબ્દોમાં ઢાળી તેને વારંવાર વાગોળ્યા કરી નક્કી હળવાશ અનુભવાય તેવી સુંદર રચના છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  6. “ભિડ મા તો સારુ, બધા મા ભલિ જવાય;
    ઍકાન્ત મા તો, સામ-સામુ મલિ જવાય”

  7. એકલા આવ્યા અને એક્લા જવાના.શ્ન્યતા એજ જિવન માનો યા ના માનો,રદો યા હસો?

  8. એકલતા ખરેખર ભયંકર હોય છે,માણસને સારા -નરસા વિચારો ત્યારે જ આવે છે જ્યારે તે એકલો હોય છે…પ્રિયજનની યાદ પણ ત્યારે જ તડપાવે છેને!!!!

  9. આપનો સાચો મિત્ર હ્ર્દયમા ચે. બહાર શા માતે શોધવો.

  10. Jayshree !!
    Kavita na sabdo khub j saras chhe… Hriday sparshi chhe… Thanks… Shu aa khali kavita j chhe ke pachhi track pann chhe ????!!!
    Warm Regards,
    Rajesh Vyas
    Chennai

  11. ઉદાસ શિર
    ઢાળી શકાય કોઇના
    ખભા ઉપર
    એવો એક
    સંબંધ પણ નથી ?

    જો કોઇ મનુષ્યને એક આવો સંબંધ ના હોઇતો તેના જેવો કોઇ બીજો અભિશાપ નથી..

  12. એકલતા ખરે ખર જ ખુબ ભયંકર છે.માટે જ આપણે આપણા મિત્રો તથા સ્નેહીઓ ની કિમ્મત કરવી જોઇએ.દિલ હળવું કરવા કોઇ તો જોઇએને.
    –અજમા

  13. તમારા અવાજ્ ને મારો અવાજ માની બેઠો, ખાલી દિલ ને મારુ ઘર માની બેઠો,ખંડર મા પડતા પડઘા ને હકીકત માની બેઠો.
    તમારી ક્શ્મકશને તમારો ઇકરાર માની બેઠો, હુફને મારો પ્રેમ માની બેઠો, તકદીરની મજાકને હકીકત માની બેઠો.
    કલમ ને સાથીદાર માની બેઠો, શબ્દોને લાગણી માની બેઠો, કોરા કાગળ પર લીટા પાડી ગઝલ માની બેઠો.
    તુ એક જ નથી બેવકુફ “ધરમ્”, તારો લગની જોઈને જમાનો એમને ખુદા માની બેઠો.

Leave a Reply to jB Cancel reply

Your email address will not be published. Required fields are marked *