કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)

4 replies on “કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ”

  1. જુવાનીતો દીવાની છે. તો ડોશી બાળપણને શોધવાને બદલે જુવાનીને ગોતે તેતો પથ્થર ઉપર પાણી રેડવા જેવુ થયુ.

  2. કવિ દલપતરામની આ માર્મિક રચના. વળી, આજે રોગ,વૃધ્ધાવસ્થા અને મૃત્યુથી સંસારને મુક્ત કરવાના રહબર ભગવાન બુદ્ધનો આજે જન્મદિવસ છે. તદ્દન પ્રાસંગીક રચના.

Leave a Reply to અભિષેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *