તારા વિના નર્મદામાતા…. – મુકુલ ચોક્સી

સંગીત : મેહુલ સુરતી
સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

ગીત પહેલા મમળાવો એક વાચકમિત્રના શબ્દો :

બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે માતાનું દૂધ (બાટલીનું નહીં) જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ માણસ માટે નદીનાં પાણીનું છે. પૃથ્વીમાતાનાં સ્તન એટલેકે પર્વતોમાંથી નીકળતી વાત્સલ્યની ધારા એટલે નદી! સમગ્ર જીવસૃષ્ટિને પોષણ આપનાર નદી આપણી માતા છે, અને ગુજરાતની આવી એક માતા એ नमामी देवी नर्मदे!! સા દદાતિ નર્મ યા નર્મદા- જેનું દર્શન માત્ર આપણને નર્મ અર્થાત આનંદ આપે છે તે નર્મદા. નર્મનો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું એ પણ થાય છે, તો જે આપણને શીખવે છે કે જીવન એક રમત છે, ગીતામાં કહ્યું છે તુષ્યન્તિ ચ રમન્તિ ચ તેમ એવી નદીમાતા એટલે નર્મદા!

આપણી સંસ્કૃતિના નિર્માણ અને સંવર્ધનમાં નર્મદાનો ઘણો મોટો ફાળો છે. હજારો વર્ષો પૂર્વે બલિ રાજા નર્મદાના દશાષ્વમેઘ ઘાટ પર રહેતો હતો અને એને ઘરે ખુદ ભગવાન વામન અવતાર રૂપે આવ્યા અને સંસ્કૃતિનુ રક્ષણ કર્યું હતું. એના કિનારે કાંઈ કેટલાયે ઋષિઓના આશ્રમો હતા. સ્કંદ પુરાણમાં લખાણ છે કે નર્મદાકિનારે 100 million તીર્થયાત્રાળુઓ આવતા હતા. ભૃગુ ઋષિ ૫૦૦૦ વર્ષ પૂર્વે ભરુચ (ભૃગુપુર અથવા ભૃગુકચ્છ)માં નર્મદાકિનારે વસતા હતા. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ તો આખી સંસ્કૃતિનું નિર્માણ નર્મદાકિનારે કર્યું હતું અને આપણને શુક્લ યજુર્વેદ આપ્યો. અત્યારે આપણા ગુજરાતીઓનાં લગ્ન થતી વખતે પુરોહિત જે મંત્રોચ્ચાર કરે છે અને આપણે બીજીબધી ધાર્મિક વિધિઓ કરીએ છીએ એ બધી આ નર્મદા કિનારે રચાયેલા શુક્લ યજુર્વેદમાંથી આવેલા છે! શંકરાચાર્યએ નર્મદા કિનારે અભ્યાસ કર્યો અને આપણને અદ્વૈત philosophy આપી, નર્મદાની સ્તુતિ કરતું नमामी देवी नर्मदे સ્તોત્ર આપ્યું. ત્યારે સરદાર સરોવરથી ગુજરાતને ઘણા બધા materialistic લાભ થાય છે અને થવાના છે, અને એની પાછળ જીવાદોરી ગુજરાતની નર્મદા જ છે, અને સાથે સાથે આપણને આ પણ યાદ રહે કે આપણી સંસ્કૃતિ ઊભી કરવામાં અને ટકાવવામાં નર્મદા માતાનો કેટલો મોટો ફાળો છે. નર્મદા કિનારે સાક્ષાત ભગવાન આવીને વસ્યા છે તો આપણને આટલું બધું મળ્યું છે. જ્યારે જ્યારે train ભરુચથી સુરત જાય ત્યારે નર્મદાનાં દર્શન કરતી વખતે આપણને આ કૃતજ્ઞતા હૈયામાં ઊભરાઈ આવે અને માથું નર્મદા માતાનાં ચરણોમાં નમી જાય!!

.

નર્મદા… નર્મદા… નર્મદા….
બંધના બંધનથી તને બાંધુ જીવતરને હું જળથી સાંધું
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

નર્મદા… નર્મદા… નર્મદા….

sabindu sindhu suskhalatta ra~Nga bha~Nga ra~njitaM
सबिन्दु सिन्धु सुस्कलत्त रंगभंग रंजितम
dviShatsu paapa jaatajaata kaadivaari sa.nyutam.h |
द्विश्त्सु पाप जातजात कदीवरी संयुतम
kR^itaantaduuta kaalabhuuta bhiitihaari varmade
क्रितांतदूत कालभूत भीतिहारी वर्मदे
tvadiiya paada pa~NkajaM namaami devi narmade || 1||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

tvadam bulii nadiinamiinadivyasaMpradaayakaM
त्वदम्बुली नदीनमी दिव्य संप्रदायकम
kalau malaugha bhaarahaari sarvatiirtha naayakam.h |
कलौमलौघ भारहारी सर्वतीर्थ नायकम
sumach ChakachCha nakra chakra vaakachakrasharmade
सुमच चक्च नक्र चक्र वाकचाक्र शर्मदे
tvadiiyapaadapa~NkajaM namaami devi narmade || 2||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

તુજ પરિક્કમા કરતા કરતા પાવન થાનારા છે અહીંયા
કહી નમામી દેવી નર્મદે, મહીમા ગાનારા છે અહીંયા
જો તારા ઘોડાપૂર મહીં તારાજ થનારા પણ છે
ને તારી શ્રધ્ધાના મીઠા ફળ ખાનારા છે અહીંયા

ભિક્ષુક યાત્રિક હો કે પથીક હો
સાધુ સંત હો કે શ્રમિક હો
જે તુજ જળમાં ભીંજાતા, પાવન એ સહુ થાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા
નર્મદા… નર્મદા… નર્મદા….

વરસાદ વિનાના ગામોમાં ધરતીની હથેળી કોરી છે
ત્યાં નહેરના પાણી પહોંચાડો ને જુઓ હરિયાળી મ્હોરી છે
તુજ વીજળીથી, તુજ ઉર્જાથી, ને તુજ સિંચાઇના પાણીથી
ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી ખેતીની મૌસમ ફોરી છે

આખું વરસ ભરપૂર રહે છે, કાંઠાઓ છલકાવી વહે છે
તુ જીવનની માતા, તું છે અન્નની દાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

થઇ તુજથી અળગા દૂર જઇ કઇ વિસ્થાપીતો ઉભા છે
તેઓના હકને માટે લડનારા મેદાનમાં ઉતર્યા છે
સરદાર સરોવર ખેતી ને વીજળીનો તારણહાર હશે
પણ યાદ રહે એ જળમાં કંઇ કેટલા ગામો ડૂબ્યા છે

એ ગામની ભીની માટી પર આંસુની વધતી સપાટી પર
વાયરા એવા વાતા, પ્રશ્નો વધતા જાતા
તારા વિના નર્મદા માતા, કોણ મને આપે શાતા

કોઇ વિસ્થાપીત નહીં રહે સહુ કોઇને જાણ એ વાતની છે
આ સકલ્પનો સંકલ્પ ફળે એ ઇચ્છા ભારતમાતની છે

આ સપનું છે આ વર્તમાન, આ ભાવિ છે આ જીવન છે
આ બંધ એ કેવળ બંધ નથી, જીવાદોરી ગુજરાતની છે

13 replies on “તારા વિના નર્મદામાતા…. – મુકુલ ચોક્સી”

  1. જય હો નર્મદામાતાકેી.જય જય ગરવેી ગુજરાત્.
    કવિ અને ગાયક સૌને અભિનન્દન્.

  2. વાહ અત્યાર સુધી ઘણા ગુજરાતી સાંભળ્યા પણ રુંવાટા ઊભા થઈ જાય તેવું આ પહેલું Song છે.

  3. મેહુલને ખૂબ અભિનંદન

    રુંવાટા ઊભા થઈ જાય તેવું સંગીત પીરસ્યું છે.

  4. ગીત પુરું થયું અને આપોઆપ મસ્તક ઝુકી ગયું
    જય નર્મદા માતા

  5. excellent!!

    જાણે નર્મદામાં એક ડૂબકી મારી આવ્યા હોય એવું લાગ્યું!!

  6. ખુબ ખુબ સરસ લ્ગયુ, તમે મન મોિહ્ િલ્ધુ મારુ!!!!!!!!!!!!!!!! મેહુલ ્સર…………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *