ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ

બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ – આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત – આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…! 🙂

આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )

સ્વર : ઐશ્વર્યા મજમુદાર

.

સ્વર : ઇસ્માઇલ વાલેરા

.

——————————————————-

Posted on November 8, 2007 (દિવાળી)

અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?

કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….

દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

radha.jpg

સ્વર : લતા મંગેશકર

.

સ્વર : પ્રફૂલ દવે

.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી

સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

107 replies on “ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો જી… – ભગા ચારણ”

  1. પુરાના લાખા લોયણ અને રાજા ભરથરી ના ભજનો લખી શકાય કે કોપી-પેસ્ટ કરી શકાય તેમ મુકવામાં આવે તો અમને વધારે સરળતા રહેશે.

  2. આ ભજન આપની વેબસાઈટ પર ચાર ગાયક દ્વારા પ્રસ્તુત છે. ખુબ જ આનંદ થયો સાંભળી ને.
    પણ અહી આપ ની અનુક્રમણિકા યાદી માં ભજન ની સાથે તેના રચયિતા કવિ “શ્રી ભગા ચારણ” ના નામ ની અવગણના જોઈ દુખ પણ થયું. આ નામ આપ આ ભજન ના ચોથાચરણ માં સ્પષ્ટ જોઈ શકો છો.
    મારી આપ Admin ને નમ્ર વિનંતી છે કે યાદી માં “કવિ શ્રી ભગા ચારણ” નું નામ જોડી એમને “સ્મરણાંજલિ” અર્પવામાં આવે.જે એમનો અધિકાર પણ છે.

  3. ખુબ જ …
    અહિ ચાર જુદા જુદા સરસ ગાયકો ના સ્વર માં આ ભજન સાંભળી આનંદ થયો .
    પણ સૌ થી વધુ શ્રેય આવી મહાન કૃતિ ના રચયિતા કવિ શ્રી “ભગા ચારણ” ને ફાળે જાય છે.
    આવી ખરેખર અદભુત ભક્તિમય કૃતિ સમાજ ને આપવા બદલ હું તેમનું/કવિ શ્રી નું હૃદય થી અભિવાદન કરું છું અને આવા ચારણ મહાત્મા ના ચરણો માં વંદન કરું છું.

  4. વાહ ! કેવુ સરસ ગેીત ! ભક્તિરસ મા તરબોલ થઇ ગયા.

    • તમારા મુકેલા ભજનો ખુબ જ સુંદર છે અને અમો તેને સાંભળીયે છીએ. તેથી અભિનંદન

  5. WE WILL NEVER BE SATISFIED…EVEN V LISTEN AGAIN N AGAIN….PRAFUL BHAI DAVE SAYS…’SHYAM VINA VRUJ… SUNU LAGE….1’KHUB KHUB MAZA AAVI GAI
    HAPPY DEEPAVALI….INDIRA N RANJIT.

  6. ગીત સાભળતા સાભળતા આખના નીર રોકી શકાયા નહી. ખુબ ગમિ ગયુ.

  7. વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું
    કુબજા ને પટરાણી કેશું રે

    એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
    માને તો મનાવી લે’જો રે
    મારા વ્હાલાને વઢીને કે’જો જી

  8. ઘન્‍ય વાદ અાજે ફરીથી ટહુકા ઉ૫ર અા ગીત સાંભળ્‍યુ ફરી સાંભળ્‍યુ ચારેય ગાયકોના અવાજમાં સાંભળ્‍યુ ઘણોજ અાનંદ થયો મન અને અાઘ્‍યાત્‍મીક જગતને એક પ્રકારનું સામજસ્‍ય સઘાયુ ખરે ખર એ લોકો ભાગ્‍યશાળી છે જેને અાવા કંઠ મળ્‍યા છે. જય શ્રી કૃષ્‍ણ વંદે માતરમ

  9. ક્રિસ્ન પ્રેમ નો અવિરત અને અન્નન્ય પ્રેમ આ ગિત દ્વારા છલ્કૈ છે.
    અને ક્રિસ્ન નો વિરહ સક્શાત દર્શાઇ છે.

  10. આ ગિત મને ઘનુ પ્રિય ચ્હે.

    સરખી સાહેલી સાથે
    કાગળ લખ્યો મારા હાથે
    વાંચ્યો નહીં મારા નાથે

    એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
    માને તો મનાવી લે’જો રે
    મારા વ્હાલાને વઢીને કે’જો રે

    મથુરાને મારગ જાતા
    લૂંટી તમે માખણ ખાતા
    તોડ્યા કેમ જુના નાતા રે

    એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
    માને તો મનાવી લે’જો રે
    મારા વ્હાલાને વઢીને કે’જો રે
    આ પણ સાભલવુ ગમશે.
    માતે બનિ શકે તૌ ઉમેરિ ને સભલાવો

  11. બહુજ સરસ અવાજ છે ઐશ્વર્યા મજુમદાર નો,ખુબ ખુબ અભિનન્દન અને આભાર.

  12. બહુ જ સરસ ગિત!! ઐષ્વર્યા એ ખુબ સરસ રિતે ગાયુ.. I will say very much talented.. my favorite song..

  13. ઓધાજી મારા વ્હાલાને વઢીને કહેશોજી….લતાજી,પ્રફુલ્લ્ભાઈ,ઇસ્માઈલભાઈ અને ઐષ્વર્યાના વિવિધતાભર્યા સ્વરમા સામ્ભળવાનો લ્હાવો અમને આપવા માટે ખુબ ખુબ આભાર.

  14. ઐશ્વ્યા મારિ ખાસ ચે!તિ.વિ.મા હરિફાઇ મા આવતિ હતિ તયારથિ મને બહુ જ વહાલિ લગે ચે!!અએને મારા ખુબ આશિશ અને ભવિશ્ય મા ખુબ ઉન્ન્તિ કરે તેવિ ઇશ્વર્ને પ્રાથ્ર્ના

    • Nice singing by all the artists.
      Can you please provide detail information about post Bhagi Charan?
      Obliged.

  15. આ ભજન સાભળવા માટે હુ કે દિ નિ રાહ જોતી હતી. જોકે મને હમનાજ ‘ટહૂકા ની ખબર પડી.
    જયશ્રીબેન તમારો આભાર.
    મીના

  16. Vah ! Vah ! Ketla vakhat pachhi Divaso Judaina Jay chhe ane Odhavji mara vahalane vadhine kahejo ji — Aishwarya na ane Lataji na avajama aaje farithi sambhalava no Yoga malyo ! Khub maja aavi ! Abhinandan and Dhanyavad !

  17. સખત ગાયુ ચ્હે દિલ નિ આર્ પાર નિક્ દિ ગયુ superb Aishwariya. Thankx to sing such a fentastic song

  18. Its really amazing & spiritual Kirtan……..really…

    ખોબ્લે ખોબ્લે વન્દન……જેનો કન્થ અત્લો મધુર ચ્હ્હે……..
    અને જેનિ કવ્ય રચ્ન અત્લિ સરલ અને ભાવર્થ થિ વ્નાયેલિ ચ્હ્હે……

    ધન્ય ચ્હ્હે ગુજરાત નિ માત્રુભુમિ ને,,,,ધન્ય ચ્હ્હે આપ્ને……..

    જય જય ગર્વિ ગુજરાત્………..

  19. શુ ભજન ગાયુ પ્રફ્ફુલભાઇ સરસ મજા આવિ ગઇ
    thanks
    pramod

  20. Enjoyed this wonderful song several times in last few weeks sung by several different artists. I wish more information about poet Bhago Charan (?) can be provided.

  21. ગુજરાતી સાહિત્‍ય અને સંગીતમાં અા ગીત અનેરુ છે. તેમાયે અા વિરહી ભજન ગીતને ગુજરાતી તથા હિન્‍દી ગીતકાર ,ભજનીકોએ ૫ોતાની કલા ૫્રમાણે ગાયુ છે. ઇસ્‍માઇલ વાલેરા નો જન્‍મજ અા ગીત ગાવા માટે થયો હોય એવુ લાગે છે. એક વાર તેના કંઠે અા ભજન સાભળ્‍યા ૫છી ફરી ફરી તેજ સાંભળવાનુ મન થાય છે.
    ધ્‍ાન્‍યવાદ ગુજરાતી સાઇડ તથા ગુજરાતી સમાજનો.

  22. અતિ સુન્દર.સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર અને ઐશ્ર્વર્યા મજમુદાર… સાથે પ્રફુલ દવે અને ઈસ્માઈલ વાલેરાના અવાજમાં અદ્ભુત ગીત રોજ રોજ સાંભળવા નુ મન
    થાઇ.
    વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું

    તમે છો ભક્તોના તારણ
    એવી અમને હૈયા ધારણ

    હ્રદય સ્પર્શિ શબ્દો.
    ધન્યવાદ.

    • ગુણો ગાય ભગો ચારણ ….
      કવિ શ્રી ભગા ચારણ ને શ્રેય આપવા નું ન ભૂલીયે ….

  23. જયશ્રીબેન,
    આજ નો રવીવાર સુધરી ગયો.
    ડૉ.મહિલેશ બક્ષી.

  24. ચારેય ગાયકોના સ્વરર્મા એક પ્રકારનો જાદુ!!!!મારા સ્વ.પિતાજિનુ ખુબ ગમતુ ગિત્!!આ ગિત સામ્ભલિને મન ભક્તિમા તરબોલ થઇ ગયુ…..!!!

  25. ઈસ્માઇલ વાલેરા ના અવાજ માં ગવાયેલું “ઓધાજી,મારા..” સૌથી વધારે ગમ્યું..

  26. શ્રી ઈસ્માઇલ વાલેરા ના ઘૂંટાયેલ સ્વર માં ભાગ્યેજ અન્યત્ર ઉપલબ્ધ એવું ભજન સાંભળવા મળ્યું. ઘણો જ ઘણો આભાર

    • ઓમ…જાય શ્રી ક્રિષ્ના.
      સે ઓધાજી મારા વ્હાલા..આં લતાની આવાજ મગયેલ સાંભળેલું.ખૂબ સરસ સ્વર માં ગાયેલ છે.
      આપનો ખૂબખૂબ આભાર તેજ ગીત આપ કરાઓકે માં રજુ karsho shu?

  27. What a classic sweet bhajan sang by such a lovely voiced artist Aiswaria Majmudar. This is my first opportunity i ever had to listne to her voice. Hopefully when i visit India or some music shop will try to purchase.
    Mahendrasinh Jadeja, London (Bhangol, Jamanagar)

  28. કૃષ્ણના પ્રેમમાં તડપતી ગોપીઓ, ગાયો અને ગોકુળનું અવિસ્મરણીય આલેખન આ ગીતમાં થયું છે. કૃષ્ણવિરહની વેદના તીવ્ર છે, છતાં ગોપીઓને હજી વિશ્ર્વાસ છે કે કૃષ્ણ પાછા આવશે… એટલે તેઓ ઓધવજીને વિનંતી કરે છે કે ઓધાજી, મારા વ્હાલાને મનાવી, વઢીને પણ પાછા લેતા આવજો…. કેટલું દર્દ, કેટલો પ્રેમ છલકે છે આ ગીતમાં…. એક એક પંકિત કૃષ્ણમય બની છે…. અને અધુરામાં પૂરું સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર અને નવી પેઢીનો ઉગતો અવાજ એટલે ઐશ્ર્વર્યા મજમુદાર… સાથે પ્રફુલ દવે અને ઈસ્માઈલ વાલેરાના અવાજમાં આટલું અદ્ભુત ગીત સાંભળવા મળ્યું… ખરેખર તો કાનને પણ એવું લાગ્યું હશે કે કાશ આવું સારું રોજ કોઈ શ્રવણ કરાવે તો…? અને છેલ્લે એક ફરિયાદ .. કે જેટલું સરસ પ્રફુલ દવેએ કે ઈસ્માઈલ વાલેરના અવાજમાં આ ગીત છે કદાચ એથીય વધુ તમને પાર્થિવ ગોહિલના અવાજમાં આ ગીત લાગશે… મારી વિનંતી છે કે જો પાર્થિવના સ્વરમાં ક્યાંયથી આ ગીત મળી જાય તો પ્લીઝ અહીં મૂકશો. બધાને સાંભળવું ગમશે.. પાર્થિવ-ઐશ્ર્વર્યા એ ગુજરાતી પેઢીનું ભવિષ્ય છે…

    Vijay Rohit, Sub Editor Feelings Magazine, Baroda

  29. This is one of my most favorite Bhajans and actually in my small town (in kathiawad), we call it “Prabhatia” and a small group of people in my neighborhood used to sing this early morning. There is nothing better than to wake up at the singing of this beautiful bhajan.Thanks to Jayshreeben for re-instating this bhajan.

Leave a Reply to રાજદીપ Cancel reply

Your email address will not be published. Required fields are marked *