કેમ રે વિસારી – અવિનાશ વ્યાસ

આ મધુરુ ગીત આમ તો ટહુકો પર ત્રણ વર્ષ કરતાંય વધુ સમયથી ગુંજે છે..! પણ નીચે comment માં પ્રગ્નેશભાઇએ જણાવ્યું એ મુજબ – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં પણ આ ગીત એક ખજાનો છે..! તો ચલો – સાંભળીએ એ ખજાનો… (આભાર પ્રગ્નેશભાઇ..!)

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*********

Posted on May 10, 2007

સ્વર : આરતી મુન્શી

.

કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી

નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી

તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી

કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

———————————
ફરમાઇશ કરનાર મિત્ર : ગિરિશ

27 replies on “કેમ રે વિસારી – અવિનાશ વ્યાસ”

  1. બહુ મજા આવિ ગઈ .. ધન્યવાદ ……
    I enjoyed the composition in Voice of Respected Purushottambhai… I do like voice of Aaratiben but …….

  2. This takes me to my school assembly days when we use to sing…45years back and the melody is still haunting…awakened sweet memories of those innocent days.

    Can you play Rasikbhai Bhojak’s ‘Pandadu kharyun ne zad rah rah ruve…’

    Thanx a ton.

  3. સુંદર સ્વરરચના અને કર્ણપ્રિય એવું મીઠાવિરહનું ગીત સાંભળવા મળી.

  4. કૌમુદી મુનશીના સ્વરમાઁ સઁભળાવશો. કૌમુદીબેનના બીજા ગીતો પ્ણ ગમશે

    ગિરિશ વૈશ્નવ્
    ૦૪/૧૧/૨૦૧૦

  5. સુંદર મઝાનું ગીત છે. આરતીબેન અને પુરુષોત્તમભાઈના સ્વરમા પણ મજા પડી ગઈ.

  6. સરસ વિરહ ગીત અને હ્રયના તાર ઝણઝણાવી જાય એવુ સંવેદનશીલ ગાયન, અવિનાશભાઈના શબ્દો કાયમનુ સંભારણુ છે જ…….

  7. Avinash Vyas what – a great poet/song writer/music director… what a blessed soul!! VANDAN!!
    Purushottam Upahdyay (PU) what a singer! what a presenter! and also a great composer!
    Wah!!

    These are two Jewels in the crown of our Gujarati Music!
    If any one wants to sing/learn sugam sangeet must listen to PU as much as possible. you will learn new techniques every time you listen to him….

    Of course PU always recognize and mentions that Avinash bhai is his GURU and mentor!
    PU Says- “Avinash Bhai na sangeet ni parab na paani kyare’y khute’ nahi!! pidhe j raakho”!!!!

  8. Hi Jayshri Ji,
    I like this Bhajan “Bhitar No Bheru Maro AAtmo Khovayo Re”
    Can you put it on Tahuko?
    B.R.
    …ketan

  9. Hi! I wonder how I missed this song earlier. This beutiful song has been forgotten, at least, by sugam sangit singers in Mumbai. I distinctly remember that this song was a part of nrutya natika named RAS DULARI staged in Mumbai in mid 50’s. Like hindi film songs, gujarati songs and nrutya natika were at the peak then. It is comfortting to know that this song exists in digital format and in different versions! My thanks!-himanshu.

  10. વાહ ….P U ના સ્વરમા આ એક અણમોલ ખજાનો છે.જ….
    .આભાર પ્રગ્નેશભાઇ, આભાર ટહુકો …મઝા પડી ગઈ….

  11. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમા પણ આ જ રચના એક અણમોલ ખજાનો છે. મારે ગીત તમને મોકલવુ હોય તો શુ કરવુ?

  12. i also heard this song sung by Smt.Koumudi Munshi so many years back.Arati Munshi also sung it very well.thanks.like to listen in Smt.Koumudi munshi’s voice.

  13. કૌમુદી મુનશીના સ્વરમાઁ સઁભળાવશો. કૌમુદીબેનના બીજા ગીતો પ્ણ ગમશે.

  14. Beautifully sung by Aarti. I think it is for the first time some one has sung this song after Purshottambhai after almost 40 years.

  15. In response to Bharat Shukla’s comment I just want to let him know that the original singer of this song was Smt. Kaunudi Munshi….Asha Bhosle’s rendition of this song came in the 70’s.

  16. very nice poetry of Avinash vyas . Enjoyed this song when i heard it. but orignal song of Asha Bhosle was more better. Thank you!

  17. What a great rendition of a beatiful song! I requested it and was eagerly waiting to hear it..It is at least over forty years since I heard this song. There are no words to express my “Thanks” !

  18. વિરહીણીના વિયોગની વ્યથા વ્યક્ત કરવામાં કવિ અને ગાયક બંનેએ પોતાના પ્રાણ રેડ્યા છે આ ગીતમાં વ્હાલાથી એક ક્ષણ પણ વિખુટી ન પડતી પ્રિયતમા પ્રિયતમના કાયમી દૂર જવામાં તો પોતાનો પ્રાણ જાણે આપી દે છે… તેમ કરતાં પણ એ વ્હાલો પાછો આવે છે ખરો કે?

    હૈયામાં નિત્ય નિરંતર વ્હાલાનું વાજીંતર જ્યાં વાગતું હોય, આ જડ સંસાર રૂપી વગડાની વાટે વાટડીયું જોતી હોય, ઇંદ્રિયો યાંત્રિકતાથી કામો કરતી હોય પણ મનડામાં તો મોહનની માળા જપતી હોય; એવી આ ઘેલીની હૈયાની વ્યથા શું એનો ઘેલો નહી સમજતો હોય? તો એવી તો કઈ એની મજબૂરી છે કે એની પ્રિયતમાથી એને દૂર જવું પડ્યું? આમ તો ઘણુંયે એની પ્રિયતમાના પગ પકડીને કહેતો હતો કે તારા માટે તો હું ચાર ચાંદ લઈ આવું, આ આભ જેમ અવનિ પર વિંટળાયું છે એમ હું પણ તારાથી ક્યારેય દૂર નહી જાઊં વગેરે વગેરે…..તો ક્યાં ગયા આ બધા કોલ? આપણું મન કહે છે કે એ પ્રિયતમ પણ ધરતીને છેડે બેઠો બેઠો આ ઘેલીની જેમ જ ઝૂરતો હશે.

    પ્રેમસંબંધની અભિવ્યક્તિના જુદા જુદા માધ્યમો છે. પ્રત્યક્ષ એકબીજાને જોઈને અડીને વ્યક્ત થતા પ્રેમની એક એવી પણ સ્થિતિ આવે કે એકમેકની લાગણીઓ પરોક્ષ રીતે વ્યક્ત થતી હોય- જેનું માધ્યમ બીજું કાંઈ નહી પણ કેવળ માનસિક! એકબીજાને જોઈ શકાતા ના હોય ત્યારની સ્થિતિ આ ગીતમાં વર્ણવી છે એવી હોય, અને એ ખૂબ જ દુખદ હોય છે, પરંતુ પ્રેમી આ દુખને સ્વીકારીને જ મનોમન પોતાના પ્રિયજનને યાદ કરી લે છે, અડી લે છે, એમાં ખોવાઈ જાય છે. પ્રેમસંબંધની આ એક એવી સ્થિતિ કે જેમાં આપ્તજનને જોવાની અડવાની તીવ્રતમ ઈચ્છા હોય, છતાં એ શક્ય ના હોય, અને ત્યાં પોતાની અંદર જ પોતાના પ્રિયતમનો અહેસાસ અનૂભવાય છે. હ્રદયસ્થ થયેલો પ્રિયતમ એને હૂંફ આપે છે, એવી હૂંફ કે જે બીજે ક્યાંયથી ના મળે!….આ વેળાએ એક આંખ જાણે કહેતી હોય કે “કેમ રે વિસારી” અને બીજી આંખ કહેતી હોય કે “હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?”

Leave a Reply to Girish Cancel reply

Your email address will not be published. Required fields are marked *