દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

7 replies on “દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત”

  1. ક્યા બાત હૈ , મસ્ત મનોરન્જક ગિત ગઝલ નિ સાથે આવા
    ખુમારિ ભર્યા ગિતો થિ સાચેજ પ્રેરના મલિ રહે તેવા આપના સમ્પાદન થિ ધન્યતા સદાય અનુભવુ.

  2. ખરેખર ખૂબજ ખુમારીભર્યું ગીત છે ! આવા જ સુંદર જોશથી ભર્યા ગીતો આપશો. ટહુકો નો વિશેષ આભાર !

  3. શું સરસ ખુમારીભર્યું મસ્ત ગીત છે. વાંચવામાં ને ગાવામાં પણ મજા પડી ગઈ.

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *