સુરાલયની પ્યાસ – રાજેન્દ્ર શુક્લ

zaakal 

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં ! 

6 replies on “સુરાલયની પ્યાસ – રાજેન્દ્ર શુક્લ”

  1. હકિકત થિ કતરાય ને જિવિ રહ્યા ચ્હે સ્વપ્નલયમા

  2. જયશ્રિ,

    ખુબ જ સુન્દર. રાજેન્દ્રભાઈ નેી આ જ તો મઝા ચ્હે

  3. કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લની રચનાઓમાં બહુધા છલકાતા ભગવા રંગના સ્થાને આ સાવ નવો રંગ પણ ખાસ્સો મનમોહક લાગે છે. આ બે શેર ખાસ ધ્યાન દઈને વાંચવા જેવા લાગ્યા:

    મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
    ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

    પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
    જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

  4. પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
    જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

    હા જયશ્રી, અમુક ઇન્તેઝાર ખરેખર એટલા લાંબા હોય છે.

    રચનાનું શિર્ષક વાંચીને મને એમ કે સાથેનો ફોટો જુદો હશે. 🙂

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *