ઝાકળ થયા પછી – રઇશ મનીઆર

ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.

એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.

મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

6 replies on “ઝાકળ થયા પછી – રઇશ મનીઆર”

  1. હ્ળવેથી આખા ભાવવિશ્વને જગાડી દીધુ.ખૂબ જ સુન્દર. બન્દિશ્ મળે તો જલસો પડી જાય્.

  2. પ્રાસ અનુપ્રાસ સુન્દર રીતે લખ્યા છે.
    આભાર જયશ્રી
    હષદ જાંગલા
    એટલાન્ટા

  3. મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
    દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

    વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
    તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

    એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
    સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

    -સુંદર ગઝલ…પુષ્પની પાંદડી પર પડેલા ઓસબિંદુ જેવી જ તાજી અને મઘમઘિત…

  4. kuch khokar pana hai………vistaar paamse tu sametaai jo sake…….khubaj saras bhaav…….kyaank vaanchelu…….zakad thavani mane che khhoomari…….phool phool par che mari sawari……..kuch pakar khona hai…….

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *