મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
- દિલીપ મોદી



September 1st, 2009 at 5:50 am
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
Very Good Imagination..
Sounds like gulzar style poetry
September 1st, 2009 at 6:32 am
જય્શ્રેી બેન્,
Please do not publish such poor quality Poetry on Tahuko.
This poetry is not a poetry but playing of words…with Radif and kafiya
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
These lines do not make any feelings or sense.
આવિ કવિતા છાપશો તો
સાચિ કવિતા કયા જ શે ?
September 1st, 2009 at 8:17 am
કાવ્યા, હુ તમારિ સાથે સહમત નથિ. દરેક ને પોતાનિ લાગણિઓ વ્યકત કરવાનો આધિકાર ચ્હે.
September 1st, 2009 at 9:51 am
અભિપ્રાયો બાબત, પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના….ગઝલ, ગીત, કાવ્ય અને સાહિત્યનો આનદ અનેરો હોય જ છે…..તમારો આભાર……
September 1st, 2009 at 12:21 pm
ગઝ્લ અને શાયરિ આપો
September 1st, 2009 at 12:36 pm
સુંદર રચના…
September 1st, 2009 at 2:32 pm
મનને છોડીને વિચારો ક્યાં જશે ?
શ્વાસોને છોડીને શરીરો ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
લાગણીથી અકબંધ સંબંધ ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની આશા ક્યાં જશે ?
such a niceone………
September 1st, 2009 at 2:41 pm
કવિની આટલી ઊન્ડી અનુભૂતિએ ઉતરવુ એ લોઢાના ચણા ચાવવા જેવુ અઘરુ લાગે છે!
September 1st, 2009 at 3:54 pm
whre is track jayshreeben ?????
Regards
Rajesh vyas
Chennai
September 2nd, 2009 at 3:14 am
સરસ ગઝલ છે.
September 2nd, 2009 at 6:41 am
This poetry needs capability to imagine the one can have a feeling …
September 2nd, 2009 at 10:21 am
કાવ્યા,
અગર આ કાવ્ય નથી તો… ? કાવ્ય કોને કે’વાય ?
anyways,
one’ve own view-point.
nice gazal…. jayashree !!
September 3rd, 2009 at 12:58 pm
કવિતા વિશે સહુનો પોતાનો અંગત અભિપ્રાય હોઈ શકે એટલે કોઈ એક ભાવક કવિ કે કવિતાની ઝટકણી કાઢે તો એના પર તૂટી પડવું યોગ્ય નથી…
નિઃશંકપણે આ ગઝલ દિલીપ મોદીની ઉત્તમ ગઝલોમાંની એક નથી જ… મને પોતાને આ ગઝલમાં કેટલાક શેરમાં ખાસ ગતાગમ પડતી નથી… કોઈ વિચાર વિસ્તાર કરી આપે તો મહેરબાની થશે…
September 3rd, 2009 at 1:10 pm
yes, just as vivek said.
everyone has his own feelings, and own way to express the same.
September 3rd, 2009 at 3:06 pm
કાવ્યાની વાત એક રીતે સાચી છે. જો કે ગઝલનું સ્વરૂપ જ એવું છે, એ ગીત જેટલું સરળ અને સાહજીક નથી. એમાં રદીફ અને કાફિયાની ગોઠવણીથી એક ચોટ ઊભી થવી જરૂરી છે. આજ કાલ ગઝલો એટલી બધી લખાય છે અને દરેક નવા કવિને ગઝલો જ લખવી છે એટલે માત્ર ચોટ ઊભી કરવાના કૃત્રિમ પ્રયત્નોમાં ગઝલ મરી જતી હોય છે. જો કે દિલીપ મોદીની આ ગઝલમાં એવી કૃત્રિમ ગોઠવણી નથી લાગતી. દિલીપ મોદી એક ઘડાયેલા શાયર છે.
દરેક વાચક માટે કવિતા મૂલવવાના પોતાના ધોરણો હોય છે. બધાને બધી જ કવિતા સારી લાગે (કે ખરાબ લાગે) એવું જરૂરી તો નથી. વાચકને કવિતા સારી કે ખરાબ લાગવાથી કંઈ કવિતા સારી કે ખરાબ થતી નથી. કવિતા તો જે છે એજ છે, કોણ કવિતાને કેટલું સમજે છે એના પર બધો આધાર છે. કવિતાને વિચાર વિસ્તાર કે આસ્વાદના લટકણિયા લગાડીને નિબંધ ના લખવાના હોય. કવિતાની દરેક લીટી સમજવાની પળોજણમાં પડ્યા વગર ફ્ક્ત એને વાંચીને જે કંઈ ભાવ ઉદ્ભવે એને માણવાની જ મઝા હોય છે.
તો ચાલો કવિતા વાંચીએ અને અંગત રીતે અનુભવીએ…મોં માથા વગરના આસ્વાદ અને વિવેચનનું કામ કવિતા ચૂંથવાવાળા કાગડાઓને સોંપીએ.
September 5th, 2009 at 9:00 pm
હું પરિચિત ભીંતમાં…… કલ્પનની ગહનતા પામવી પડે….
સરસ રચના……
September 21st, 2009 at 5:01 am
પ્રત્યેક રચના રચનાકારની લાગણીઓના ચાકડેથી ઉતરેલ મહામુલી જણસ છે.હવે વાચક એ જણસને પોતાની લાગણીઓ અને સમઝદારી ની એરણે ચડાવી નાણવાનો ઉપક્રમ કરે એ સ્વાભાવિક છે.પણ એમા બેરહમ કે અસહીષ્ણું બની પોતાનો અભિપ્રાય્ આપે તે બરાબર નથી.જો કવિતા ન સમજાય તો એમાં રચનાકાર ને દોષ દેવાને બદલે ખેલદિલિથી કહી શકાય જેમ ડો.વિવેકે કહ્યુ તેમ.રસાસ્વાદ કરાવનારને કાગડા કહેવાની ગુસ્તાખી અક્ષમ્ય છે.આવી ભાષા આપણને ન શોભે.
મને રચના ગમી છે.કારણ એ એક સ્વસ્થ સર્જન છે.કલ્પન ની ગહનતા પામવા મન ની વિશાળતા અને કાવ્ય ને સમઝવામાટે ની તત્પરતા સાથેના ખુલ્લા દિલનો હું માલિક છું.