એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી – પ્રભુલાલ દ્વિવેદી

.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.

ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નીયમ બદલાતા નથી.

17 replies on “એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી – પ્રભુલાલ દ્વિવેદી”

  1. jayshree bhahen,
    if u have the songs in voice of his holyness master Ashrafkhan shaheb pls send it. i really thankful of yours.

  2. જયશ્રીબેન,

    “માલવ પતિ મુંજ” ની એક બીજી રચના “હ્રદય ના શુધ્દ પ્રેમીને નિગમ ના જ્ઞાન ઓછા છે” , એ જો આપની પાસેથી મળી શકે તો ખુબ આભારી થઇશ. I have no luck finding it anywhere so far.

    thanks.

  3. આજ મુવી નું મહેન્‍દ્ર કપૂરનું ગાઓ મન મૂકી નાચો ઝૂકી ઝૂકી ગીત પ્‍લીઝ મળે તો પ્‍લે કરશો. ખૂબ જ ગમશે જયશ્રી બેન.

  4. સુખદુઃખ મનમાઁ ન આણીએ ઘટસાથે રે ઘડિયા ,ટાળ્યા તે કોઈના નવ ટ્ળે રઘુનાથના જડિયા……….
    ભાવનુ સુઁદર ગીત, ધન્યવાદ

  5. ખુબ સરસ…
    કુદરત નિ કલા અપ્ર્મપાર હય
    જિવન મા
    ઉતાર ચદાવ આવે પન પ્રભુ ને સાથે રાખે તેને વાધો અવતો નથિ. અભિનન્દન્…

  6. બહુજ સરસ ગઝલ જે નાનપન મા મારા પિતાજિ પાસે સાભલિ હત્તિ. ખુબજ આભાર મજાનુ ભજ્ન કોનુ બનાવેલુ ખબર નથિ. હજારો મનદિરો ને મસ્જિદો ચે હજારો વર્શથિ ચે આ બધિ પ્રાથનાઓ ન શિખ્યો માનવિ કૈઇ ધરમ પાસે થિ હજુ ચ્હે માનવિ ને યાતનઓ યાતનાઓ. હજરો વરશ્થિ મસ્જિદ્ ના મિનારે ખુદા ના લાખ બન્દાઓ અજાનો દે ચ્હે તશ્દિ ફેર્વે ચ્હે હજારો વર્શ્થિ મનદિર ના તમે આ ભજન મુકશો ?

  7. ધન જન સમ્પત સાહ્યબિ કાઈ ન આવે હાથ
    ઇશ્વર ના દરબાર મા જાવુ ખાલિ હાથ્
    પડતા પર પાતુ કદિ ને દાઝ્યા પર ડામ્,
    દઇશ ના તુ કોઇ ને,ઍ દુર્જન નુ કામ્.
    આવિ જ કૈક પન્ક્તિઓ આ ગિત પહેલા ગવાતિ,
    એવો ખ્યાલ છે. ખુબ આનન્દ થયો. આભાર્.

  8. માલવ પતિ મુંજ નાટક અને મા. અસરફખાનની યાદ તાજી થઈ.

  9. માલવપતિ મુંજ ફિલ્મનું એકદમ સરસ ગીત.

    આજ મૂવિનું બીજુ એક સરસ ગીત છે
    હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોયે બધા સન્માન ઓછા છે
    પ્લીઝ જયશ્રીબેન,
    મળે તો તો પ્લે કરજો ને!

    And thanks for this also!

  10. “ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
    એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.”

    સુઁદર વાત કહી છે.

    બીજી એક કવિતાની પઁક્તિ યાદ આવી તે છેઃ

    “કદી જો ભાગ્ય રીઝે તો ભોગવવાને જોઈએ પ્રભૂનો પરવાનો”

    એ કવિતા આગળ ચાલે છે પણ એમાઁ કવિએ ભાગ્ય રૂઠે તો શુઁ એના વિશે કશુઁ બોલ્યા નથી. પરઁતુ મારા પિતાએ એમના અને મારા કપરા દિવસો દરમ્યાન ભાગ્ય રૂઠે તો શુઁ કરવુઁ તે વિશે નીચેની પઁક્તિ આપીઃ

    “કદી જો ભાગ્ય રીઝે તો ભોગવવાને જોઈએ પ્રભૂનો પરવાનો”
    “કદી જો ભાગ્ય રૂઠે તો લડી લેજે પ્રભૂનુઁ કવચ પહેરીને.”

    નિરલ દ્વિવેદી
    (ના, પ્ર્ભુલાલ દ્વિવેદી સાથે કોઈ સગપણ નથી.)

  11. પ્ર્ભુલાલ દ્વિવેદીએ લોકપ્રિય નાટકો અને નાટ્યગીતો આપ્યા છે.
    આ ગીતમા જીવનની વાસ્તવીક્તા રજુ કરી છે.

  12. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
    એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

    એકદમ સાચું.. છીછરા લોકો માટે સાચો સંદેશ…

    ‘મુકેશ’

Leave a Reply to Bhargav Purohit Cancel reply

Your email address will not be published. Required fields are marked *