મને પરવડે નહીં – સ્નેહી પરમાર

paravade

આ આટલી ખારાશ, મને પરવડે નહીં
દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

મરવું નથી ને યાર હવે જન્મવું નથી
આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

તારી રજા ના લેય, અને આવજા કરે
એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

17 replies on “મને પરવડે નહીં – સ્નેહી પરમાર”

    • Sir, I am from village Viradi, Gariyadhar, Bhavnagar.
      I have written many ghazals & poems ( in chhand too).
      Would you please help me to publish a book. How can I contact you.

  1. મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
    તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

    મને મારા સ્નેહાળ ભુત્કાળ મા લઇ જવા બદલ આભાર

  2. મરવું નથી ને યાર હવે જન્મવું નથી
    આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

    સાચી વાત છે,

  3. Jayshree
    You have found very good gazal.
    You choice of poems are of high quality. I suppose you are coming from the literature background (probably in family). Keep it up.

  4. વાંઝિયું રહે ને લાશ પ્રસવે ?આહા!
    બંનેથી ઊલટું જ ગમે તેવું છે !હોં!
    શોધ સારી છે.મને પરવડે એવી!

  5. બહુ ઉત્તમ ગઝલ છે ! સ્નેહી પરમાર કોણ ..ક્યાંના છે ? કોઈ સંગ્રહ ?

    બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
    કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં

    ઊંચી વાત છે !

    • સ્નેહી પરમાર એ બગસરા ગામ ના વતની છે. જિ. અમરેલી
      365440
      તેઓ અમારા શીકશક છે અને ઝવેરચંદ} મેધાણી હાઈસ્કૂલમાં}સેવા}આપે}છે

Leave a Reply to snehi Parmar Cancel reply

Your email address will not be published. Required fields are marked *