પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
– જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
– સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )

2 replies on “પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી”

  1. વાહ સાચે જ પ્રભુને ફરિયાદ કરવાનુ મન થાય છે કે જો સામેથી પ્યાર મળવાનો ન હતો તો મારા હ્રદયમાં આ આલાપ પ્રેમની કેમ છેડી.

    પડઘો ન પાડવો તો… રે…
    અંતરે સાદ કાં આલપ્યો

    સાદ દેવો જ હતો તો બંને ના અંતરમાંથી સાથે સાદ કેમ ના દીધો?

Leave a Reply to કલાકાર Cancel reply

Your email address will not be published. Required fields are marked *