કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

koi preet

કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! – કોઇ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! – કોઇ…

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! – કોઇ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! …

કોઇ પ્રીત કરી તો જાણે !

3 replies on “કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’”

  1. સુંદર કાવ્ય છે ,પરંતુ કવિને પૂછવાનું મન થાય છે ,કે આ દર્દની ચીસ છે કે શૌર્યનો પડકાર ?

  2. મનહર ઉધાસ નું ‘આકૃતિ ‘- આલ્બમ? હમણાં હું પણ આ સી. ડી. જ સાંભળું છું. રઈશ મનીઆર નું ગીત પણ સરસ છે.

  3. એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! …
    કોઇ પ્રીત કરી તો જાણે !

    Saras, thank you for sharing.

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *