હરિ જેમ રાખે તેમ (અનુકુળ) રહીએ – રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર

આજે પહેલી ઓક્ટોબર – ગુજરાતી કાવ્યસંગીતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનો જન્મદિવસ. તો એમને યાદ કરી અમરભાઇએ એમનું એક ઓછુ જાણીતુ અને ઓછુ ગવાયેલું ગીત રેકોર્ડ કરીને મોકલ્યું, અને મેં એ તમારા બધા સાથે વહેંચવાની મંજૂરી લઇ લીધી.

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

.

હરિ જેમ રાખે તેમ અનુકુળ રહીએ..
હરિ જેમ રાખે તેમ રહીએ…

અણીગમ આત્મ મારાં ઉજળાં…
આણીગમ ગહીરા અંધાર
ઝૂલવું અંતરિયાળ,
ઝૂલણે મેલી મમતાનો ભાર …
મોકળે અંતરે મોજ લહ્યીયે જી રે…
હરિ જેમ રાખે તેમ રહીએ…

એકમેર બળબળતા ઝાંઝવા,
બીજે છેડે નિર્મળ નીર,
જલવું તરસ કેરા તાપણે
ઠરવું હરખને તીર ,
આગ ને આનંદ સંગ સહીએ જી રે..

– રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર

3 replies on “હરિ જેમ રાખે તેમ (અનુકુળ) રહીએ – રાજેન્દ્ર શાહ અને પિનાકીન ઠાકોર”

  1. અમરભાઇએ ગાયેલું -‘સાગર અને શશી ‘ અને રાસબિહારીજીએ ગાયેલું એક ગીત એમ બે ગીતો તો ગુમાવ્યાં.
    વારંવાર સાંભળવા ડાઉનલોડની મંજુરી અને સગવડ આપો તો આભાર

  2. આવા સુન્દર સ્વર માં સાંભળવાનો આનન્દ કઈક જુદો જ લાગ્યો.

    આભાર’

    નવીન કાટવાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *