કાવ્યાસ્વાદ ૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

પાણીએ,પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે:
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું ;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાયે વ્રત થાતાં :
આનંદઘેલા હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યુ,

– પ્રહલાદ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *