આજ મારું મન – ધીરુ પરીખ

આજ મારું મન મનમાં નવ સમાય.

નીરનાં મોજાં નીરમાં ઊઠી નીરમાં શમી જાય,
જરીક પાંદડું હાલતું તેમાં સમીર શો તરડાય !
લાખ મનાવું એક ન માને કેમ કરી પહોંચાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

સાવ નથી કંઈ જાણીએ તો યે ગગનથી ઓળખાય,
ફૂલની ફોરમ સહુ કો’ માણે; કોઈએ દીઠી કાય ?
હોઠને કાંઠે આજ એ ઊભું કેટલુંયે અફળાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

– ધીરુ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *