ભજન ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી

ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી

લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દ્રષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી

સપનામાં તો ભુલભુલામણ, અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી

અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી

– જવાહર બક્ષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *