મહીં મથવા ઊઠ્યાં – નરસિંહ મહેતા

શબ્દવેદ – નરસિંહ મહેતાની સમગ્ર કવિતા પુસ્તક લેવા માટે અહીં ક્લીક કરો

સ્વર – કૌમુદી મુનશી, નીનુ મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈંયો ભક્ત હરિનો

પરભાતે મહીં મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.

માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.

વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.

બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.

 – નરસિંહ મહેતા

5 replies on “મહીં મથવા ઊઠ્યાં – નરસિંહ મહેતા”

  1. m.d. gandhi bhai,
    sudama vala kavya vishe me thodu lakhyu chhe ,maru lakhelu joi lejo kai sudharo hoy to janavajo. tamari dharmik bhavna joine me lakhyu chhe, joi lejo, jarur gamshe.

Leave a Reply to બ્રિજેશ સોહલિયા Cancel reply

Your email address will not be published. Required fields are marked *