ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ

માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?

– વિપિન પરીખ

7 replies on “ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને – વિપિન પરીખ”

  1. વાહ વાહ, શુ માર્મિક રચના છે , ગજબ નેી કાબેલિયત…..આભાર

  2. હા , હવે હું …
    આભાર માનું છું ગોડસે તારો ,
    કેમ ચોકી ઉઠ્યા?
    સત્યના પર્યાય એ મહર્ષિના વિચારોના ખંડન ની ખુજલી અન્ય ખણખોદીયાની જેમ મને નથી ઉપડી.
    હું નાની હતી ત્યારે ‘ગાંધીબાપુ’ના હત્યારા ની કલ્પનામાં ,
    નથુરામ માં નરરાક્ષસ જોતી…..
    પણ હવે થાય છે કે તે તો ‘ગાંધી’ને ૩ ગોળી મારી
    એના નશ્વર દેહનેજ માર્યો હતો,
    પણ આ પ્રજાસતાક ભારતમાં ,
    સોરી લજ્જસતાક બનેલા ભારતમાં તો
    ગાંધી રોજ રોજ અસંખ્ય ગોળીઓ થી વિંધાય છે.
    અહીં કચ્ચરઘાણ નીકળ્યો છે કર્મયોગનો
    અને આકાશકુસુમવત લાગે છે સાદગી ,
    સાધ્ય્સીદ્ધી માટે સાધનશુદ્ધિ નાખ્યાલને તો
    ક્યારનાયે સમાધિસ્થ કરી દીધા છે,
    ત્યારે તે તો એને શાસ્વત શાંતિ આપી દીધી છે ગોડ સે .
    નહિ તો આ લોકો ગાંધીની લાકડી એ ગાંધી નેજ મારત .
    ‘પ્રતિભા ઠક્કર ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *