મરવાનો છે પ્રસંગ અને જીવી રહ્યો છું હું,
મારા નસીબમાંથી કઝા કોણ લઇ ગયું?
આંસુ ને શ્વાસ એક હતા- સંકલિત હતા,
વ્યાપક હતી તે આબોહવા કોણ લઇ ગયું?
સુખમાં હવે તો થાય છે ઈર્ષા અરસ-પરસ
દુ:ખમાં થતી હતી તે વ્યથા કોણ લઇ ગયું?
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?
જા જઇ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઇ ગયું?
Share what you loved...

Email
મરીઝની સુંદર રચના… મત્લાનો અભાવ… એ જમાનામાં જોકે ઘણા શાયરોએ મત્લા વિનાની ગઝલો લખી છે…
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?
સરસ શેર
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?…….
એક સુંદર ગઝલ!
એક એકથી ચઢીયાતા શેર છે. દરેક શેર ગઝલનો એક નવો જ મિજાજ રજુ કરે છે.
આભાર!
અવ્વલ હરોળ ના ગઝલકાર ની અવ્વલ ગઝલ…
આથી વધુ શું લખી શકાય?
જે જે હતા પ્રવાસ રઝળપાટ થઇ ગયા,
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઇ ગયું?
જા જઇ ‘મરીઝ’ પૂછ ‘ઝફર’ ના મઝારને,
કહેશે તને બધું કે ભલા કોણ લઇ ગયું?
વાહ્
ઝફરની શાયરી ઇશ્કેમિજાજી અને ઇશ્કેહકીકી એમ બંને તત્ત્વોથી ભરપૂર છે.ઝફરનો એક વિખ્યાત શે’ર’ એમના સૂફી મિજાજને વેધક રીતે વ્યક્ત કરે છે.
યા મુઝે અફસરે- શાહાના બનાયા હોતા,
યા મેરા તાજ ગદાયાના બનાયા હોતા,
અપના દીવાના બનાયા મુઝે હોતા તુને,
ક્યોં ખિરદમંદ બનાયા? ના બનાયા હોતા
સૂફીઓની મહેફિલોમાં ઝફરની ગઝલો ખૂબ જ આદરપૂર્વક પઢવામાં આવે છે.