અમે નીકળી નથી શકતા – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

– મનોજ ખંડેરિયા

———————-
આ ગઝલના સંદર્ભમાં કવિ શ્રી ની આ બીજી બે ગઝલો માણવા લાયક છે –
જરા નીકળો – મનોજ ખંડેરિયા 

 

7 replies on “અમે નીકળી નથી શકતા – મનોજ ખંડેરિયા”

  1. ખુબજ સરસ કવિતા. છેલ્લી પન્ક્તિ ” પડ્યા પડદાની સળમાથી અમે નીકળી નથી શકતા” તો લાજવાબ.

  2. ફુલ્મા બિદાયેલા ભમ્રા જેવિ આપ્ નિ હાલત . સમજ્ વા ચ્હ્તા મજ્બુર

  3. ભલે બાપુ ભલે ! નીકળી ના શકાતુઁ હોય તો બીજુઁ શુઁ થાય ?
    મઝા માણી.મનોજભાઇ ને સલામ !જ અને અ નો આભાર !

  4. નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
    સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
    બહુ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *