મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

14 replies on “મુંઝાય છે – ચિનુ મોદી”

  1. શુકહુ શુ ના કહુ ?
    કવિ નિ જેમ કહે
    તા પણ નથિ આવડતુ ને તેમણે કૈ બાકિ નથિ રાખ્યુ

  2. હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
    કેવો સંતોષી જીવ !બધું મેળવવા જતાં કંઇ ના મળે એના કરતાં એક બે આપણાં મળૅ
    તો રાત નીકળી જાય, વાત બની જાય.

  3. મુઝાય છે સરસ રચના તારા ને મારા નો સરસ સમનવય

  4. આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
    એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
    ખુબ જ સુન્દર રચના

    વર્ષો પછિ પણ સ્મરણ થતા આંખ ભીની થાય છે.

  5. ઍક બૅ મારા મળૅ તો રાત વીતી જાય છે.
    દિલ ખોલીનૅ વાત કરવાથી હૈયુ હળવુ થાય છે.

  6. આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
    એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે…ખુબ સુંદર રચના.
    પણ ભુલેલા ને યાદ કરવા પડે ને?

  7. ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
    એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
    કરેલ ભૂલ સમજાય ને પછી પસ્તાવાનુ પવિત્ર ઝરણુ વહે તો એ ભૂલ ફરી ન થાય્.

    આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
    એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
    સરસ …

    હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
    એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
    સંતોષનુ ફલ સુખ-શાન્તિ.

  8. સુન્દર રચના !
    હુ નથી આકાશ કે મબલખ મને તારા મળે,
    એક બે મારા મળે તો રાત(જીવન) વીતી જાશે.

Leave a Reply to Bhanu Chhaya Cancel reply

Your email address will not be published. Required fields are marked *