ત્રેવીસમી ફેબ્રુઆરી…

આમ તો આ પોસ્ટ તમે ‘શબ્દો છે શ્વાસ મારા’ કે ‘લયસ્તરો’ પર વાંચી હશે… પણ આ મઝાના સમાચાર અને ભાવભીનું આમંત્રણ તમારા સુધી પહોંચાડવાનો વધુ એક મોકો મળતો હોય તો શું કરવા જતો કરું? 🙂

ફરી એકવાર અભિનંદન દોસ્ત… Direct दिल से ….

આગળ વાંચો… વ્હાલા કવિ મિત્ર – વિવેક ટેલર – ના પોતાના શબ્દો… (એમના બ્લોગ પરથી કોપી-પેસ્ટ – 🙂 )

**********************

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

GarmaaLo

SCSM

22 replies on “ત્રેવીસમી ફેબ્રુઆરી…”

  1. વિવેકભાઇ, આપને જાણીને કેટલો આનંદ થશે એ તો ખબર નથી પણ મને જણાવતાં જરૂર આનંદ થાય છે કે આપનાં પુસ્તકો અને મારો જન્મદિવસ એક જ છે..

  2. સમય અને સજોગોને લઈને આવેી સકાય તેમ ન હોઈ તમારા કાર્યક્રમનેી સફળતાનેી ઈશવર ને પ્રાથ્ના .

  3. આપના આવા વિશેષ કાર્યક્રમને માણવા તથા ગુજરાતિ હોવાના ગૌરવની ઉજવણી કરવાની ખાસ ઇચ્છા રાખીએ પણ આવેી શકાય તેમ ન હોઈ, અમારી શુભ કામનાઓ સ્વીકારવાની વિનંતી.

  4. ગજેન્દ્ર.ચોકસી
    ૭/ એ અભિષેક ઍપાર્ટમેન્ટ,
    સુમુલ ડેરી રોડ,
    સુરત ૩૯૫૦૦૮
    ભુલી તો નહી જવાય પણ યાદ કરાવશો.

  5. શ્રી વિવેકભાઈ,

    આપના આવા વિશેષ કાર્યક્રમને માણવા તથા ગુજરાતિ હોવાના ગૌરવની ઉજવણી કરવાની ખાસ ઇચ્છા રાખીએ પણ તબિયત ના કારણે શક્ય નથી. પરંતુ અમારી શુભ કામનાઓ સ્વીકારવાની વિનંતી.

    શું કાર્યક્રમની સીડી મળી શકે ખરી ?

    ફરી શુભેચ્છાઓ.

    યોગેશ ચુડગર.

  6. વિવેકભાઈઃ એક વિનંતીઃ બન્ને સંગ્રહોમાંથી, તથા આપનાં અન્ય કાવ્યોમાંથી, આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં કાવ્યો પસંદ કરીને એમના અંગ્રેજીમાં અનુવાદ કરીને કે કરાવીને પુસ્તક રૂપે પ્રગટ કરશો જેથી એમને વિશ્વસાહિત્યમાં સ્થાન મળે.
    –ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
    આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮, ૨૦૧૧ના રોજ. આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને, પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.

  7. ઝહીર જીઃ અલબત્ત, ફેબ્રુઆરી ૨૩,૨૦૧૧ સુરતનો સોનેરી દિવસ તો ખરો જ, પણ વિવેક માત્ર સુરતના નથી, સમગ્ર વિશ્વના છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં વસે છે.

    આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮,૨૦૧૧,આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.

  8. ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૧: ગુજરાતી સુરત નો એક સોનેરી દિવસ.

    ઝહેીર

  9. તમો આખી ટિમને ખુબ-ખુબ અભિનન્દન. અમો ત્યા રુબરુ નથિ આવિશકતા,તેથી રુબરુ જેવી અનુભુતી કરવા
    ફોટા જરુરથી આ વીભાગમા છાપશો.

  10. Shree Vivekbhai,I am forwording the e mail address to my friends of surat…we hope to see the full video later on when you send to us at ranjitved@hotmail.com since we are in california….all the best wishes…for the up coming event …big god bless…RANJIT VED

  11. ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૧: ગુજરાતી સાહિત્યનો એક સોનેરી દિવસ.
    –ગિરીશ પરીખ

  12. ડો.વિવેક્ભાઈને અભિનદન, બંને પુસ્તકોના લોકાર્પણ પ્રંસગે હાજર રહેવાની અત્યંત ઈચ્છા હોવા છતાં હાલમા કેનેડામા બેઠા બેઠા ૨૩, ફેબ્રુઆરીએ એ સમારોહને બંધ આંખોથી માણી લઈશુ, આપને એ સમારોહની અનેક શુભકામનાઓ……મારે એ બને પુસ્તકો અને સીડી ભવિષ્યમા પ્રાપ્ત કરવા માટેની વિગતો જણાવશો તો આભારી થઈશ, આમંત્રણ બદલ આભાર……વિશેષ માહિતી માટે શ્રી જયશ્રીબેનનો પણ આભાર……………………

  13. શ્રી વિવેક્ભાઈ ને ઢેરસારા અભિનંદન તમારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…”ના શુભસમાચાર
    વાંચી ખુબ આનંદ થયો છે.આ પ્રસંગે આપનાજ શબ્દોમા– હર જનમમા અમને આપનો સાથ મળે અને અમે મમળાવ્યા કરીએ આપના શબ્દોને અમારા શ્વાસમા.કારણકે આપના સ્પન્દનો આખરે પહોચવાનાતો છે અમારીજ પાસેને.આપના સર્જનને ખૂબખૂબ સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવું છું.તમારી રચનાઓ નો લાભ અમને શિકાગો માં બેઠા બેઠા ક્યારેક મળે છે પણ કદાચ પુસ્તકો જો પ્રાપ્ત થશે તો વધુ આનંદ આવશે.!!

  14. તમારા સુમધુર કાર્યક્રમનો સાથી બનવાનો આનંદ થાત.પણ શક્ય નથી,કારણ મારા બન્ને પગે ની રિપ્લેસમેન્ટ કરાવ્યુ છે.
    પ્રોફ્. વી.સી શેઠ,
    ૬૫,અનન્દનગર,
    સેક્ટર-૨૭,
    ગાંધીનગર,
    ૩૮૨૦૨૮.

  15. ખુબ ખૂબ અભિનન્દન વિવેકભાઈ,આપન બન્ને પુસ્તકો અને ઓડિય સી ડી ના વિમોચન પ્રસન્ગે.

    આપનાજ શબ્દોમા– હર જનમમા અમને આપનો સાથ મળે અને અમે મમળાવ્યા કરીએ આપના

    શબ્દોને અમારા સ્વાસમા.કારણકે આપના સ્પન્દનો આખરે પહોચવાનાતો છે અમારીજ પાસેને.

    આપના સર્જનને ખૂબખૂબ સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા.

  16. મને કવિ બલશકર્નુ ગુજરે જે શિરે તરે….ગન્યુ જે પ્યરયે અતિ પ્યરુ ગનિ લેજે…. અને ઉમસ્ન્કર નિ કવિત ભોમિય વિન ભવત મરે દુન્ગરા…બન્ને અતિપ્રિય. ગિરિશ મહેત બન્ગલોરે

Leave a Reply to Girish Parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *