એક સુખ નીક્ળ્યું કવિતાનું – ભરત વિંઝુડા

શ્વાસ લીધો નહીં હવામાંથી,
હું વિખૂટો પડ્યો બધામાંથી.

બારીએથી મેં વિશ્વ જોયું છે,
ઓસરી જોઈ બારણામાંથી.

કંઈ અકસ્માત જેમ બનવાનું,
કંઈ નહીં થાય શક્યતામાંથી

આભમાંથી પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ઘરામાંથી.

એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી

– ભરત વિંઝુડા

11 replies on “એક સુખ નીક્ળ્યું કવિતાનું – ભરત વિંઝુડા”

  1. સરસ,
    એક સુખ નીકળ્યુ કવીતાનુ,
    આપણી આ બધી વ્યથામાંથી,
    કેટ્લુ મોટુ સુખ…કવીતાનુ,
    તો તો વ્યથા સારી જો આવુ સુન્દર સર્જન થતુ હોય તો,

  2. હમાણાં જ ‘વેબ-મહેફિલ’ પર ભરતભાઈની સુંદર ગઝલ વાંચી અને અહીં પણ એમની જ વધુ એક વ્યથામાંથી નીપજતી ગઝલ (કવિતા) માણવા મળી!
    સુધીર પટેલ.

Leave a Reply to urvashi parekh Cancel reply

Your email address will not be published. Required fields are marked *