Category Archives: કૃષ્ણલાલ શ્રીધરાણી

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
– જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
– સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )